Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ

    July 5, 2025

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025

    ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ
    • “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું
    • ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન
    • Gir somnath માં શાકભાજીના બિયારણનુ વેચાણ
    • Kotdasangani: તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી
    • Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી
    • Karachi માં ઈમારત ધરાશાયી: સાત મોત; 25થી વધુ દટાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ધોરણ 10-12ની Board Exams માં રાજ્યકક્ષાએ ટોપ-3 વિદ્યાર્થીઓને રૂ.51 હજારનું ઇનામ જાહેર
    અમદાવાદ

    ધોરણ 10-12ની Board Exams માં રાજ્યકક્ષાએ ટોપ-3 વિદ્યાર્થીઓને રૂ.51 હજારનું ઇનામ જાહેર

    Vikram RavalBy Vikram RavalMay 8, 2025Updated:May 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.08

    રાજ્યમાં ધો. 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. “છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ” યોજના અંતર્ગત ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ- SC તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ- SEBCનાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રોત્સાહક ઈનામની રકમમાં વિવિધ કક્ષાએ રૂ. 20 હજારનો સુધીનો વધારો કરાયો છે.

    રાજ્યમાં અનુસૂચિત જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રૂચિ કેળવીને સારી ટકાવારી પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી ધોરણ 10 અને 12નાં બોર્ડની પરીક્ષામાં રાજ્ય તથા જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ઈનામની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. આ માટે વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 53 લાખની નવી બાબતને મંજૂરી આપવામાં આવી છે.

    આ યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને પહેલા રૂ. 31 હજાર આપવામાં આવતા હતાં જેમાં વધારો કરીને હવે રૂ. 51 હજાર પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. તેવી જ રીતે દ્વિતીય સ્થાને આવશે તેમને રૂ. 21 હજારમાં વધારો કરીને રૂ. 41 હજાર આપવામાં આવશે તથા તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને અગાઉ રૂ. 11 હજાર અપાતા હતા જેમાં વધારો કરીને રૂ. 31 હજાર પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવશે.

    આ ઉપરાંત ધો. 10 અને 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને પહેલા રૂ. 6 હજાર અપાતા હતાં જેમાં વધારો કરીને રૂ. 15 હજાર પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. તેજ રીતે દ્વિતીય સ્થાને આવશે તેમને રૂ. 5 હજારમાં વધારો કરીને રૂ. 11 હજાર આપવામાં આવશે તથા તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને અગાઉ રૂ. 4 હજાર આપવામાં આવતા હતા જેમાં વધારો કરીને રૂ. 9 હજાર પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવશે.

    આ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષના અંતે લેવાતી બોર્ડની પરીક્ષા (માર્ચ-એપ્રિલ)ના વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે. શૈક્ષણિક વર્ષના વચ્ચે (ઓકટોબર-નવેમ્બર) માં લેવાતી પરીક્ષા ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે નહીં. આ ઉપરાંત એક જ ક્રમ પર એક સરખા ગુણાંક વાળા એકથી વધુ વિદ્યાર્થીઓ આવેલા હોય તેવા સંજોગોમાં એસ.એસ.સી પરીક્ષાના કિસ્સામાં પ્રથમ ત્રણ ક્રમાંક પર આવતા હોય અને એચ.એસ.સી પરીક્ષાના કિસ્સામાં દરેક પ્રવાહમાં ત્રણ ક્રમાંક પર આવતાં હોય તેવા એક સરખા ગુણાંકવાળા વિકસતી જાતિના તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાએ એક થી ત્રણ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાનું ઇનામ મળશે પરંતુ તેઓને જિલ્લાકક્ષાનું ઇનામ મળવાપાત્ર થશે નહીં. વિદ્યાર્થી એક જ ઇનામ લઇ શકશે. વિદ્યાર્થીઓને નિયત કરેલ મળવાપાત્ર ઈનામની રકમ DBT પધ્ધતિથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે.

    અનુસૂચિત જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સ્પર્ધાત્મકતા કેળવાય તથા વધુમાં વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક વિકાસ સાધી શકે તે હેતુથી “છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ” યોજના અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ ધોરણ-10 અને 12નાં બોર્ડની પરીક્ષામાં રાજ્ય તથા જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવે છે.

    વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રોત્સાહક ઈનામની રકમમાં વધારો કરવામાં આવ્યો છે તે અંતર્ગત રાજ્યકક્ષાએ ધો. 10 અને ધો. 12માં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉત્તર બુનિયાદી પ્રવાહ એમ ચાર પ્રવાહમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને પ્રોત્સાહક ઈનામમાં રૂ. 20 હજારનો વધારો કરવામાં આવ્યો છે.

    Class 10-12 board exams Prize of Rs. 51 thousand state level top 3 students
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ

    July 5, 2025
    અમદાવાદ

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025
    રાજકોટ

    Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Karachi માં ઈમારત ધરાશાયી: સાત મોત; 25થી વધુ દટાયા

    July 5, 2025
    રાષ્ટ્રીય

    અત્યાર સુધીમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ Baba Barfani ના દર્શન કર્યા

    July 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ

    July 5, 2025

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025

    ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન

    July 5, 2025

    Gir somnath માં શાકભાજીના બિયારણનુ વેચાણ

    July 5, 2025

    Kotdasangani: તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી

    July 5, 2025

    Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Highway Toll Tax 50% જેટલો ઘટી જવાની સંભાવના : દેશભરમાં અમલ

    July 5, 2025

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025

    ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.