Vadodara,,તા.૨૩
વડોદરામાં વાઘોડિયા રોડ પર સરકારી જમીન પર બનેલ ૨૫ વર્ષ જૂના પશુપતિનાથ મંદિરને જમીન પચાવી પાડવા મામલે નોટિસ આપવામાં આવી છે. તો બીજી બાજુ ક્રિકેટર યુસુફ પઠાણે જમીન પર દબાણ કર્યુ હોવા છતાં કેમ હજુ સુધી જમીન દબાણ અંગે નોટિસ પાઠવવામાં આવી નથી તે અંગે મોટો સવાલ ઊભો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર યુસુફ પઠાણની ૮૪ કરોડની ૯૭૫ ચોરસ મીટર જમીન પર ૧૨ વર્ષથી જમીન કબ્જે કરી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તો વોર્ડ નંબર ૩, ટીપી. સ્કીમ નંબર ૩ તેમજ ફાઈનલ પ્લોટ નંબર ૩૮૧ પર પશુપતિનાથ મંદિરને લેન્ડ ગ્રેબિંગ (જમીન પચાવવા) મુદ્દે તંત્રએ નોટિસ પાઠવતા આવી વિરોધાભાસ ધરાવતી કાર્યવાહી મામલે વિશ્વામિત્રી સમિતિએ કાર્યક્રમ કરવાની ચીમકી આપી છે.
તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણની માલિકીનું ૧૦૫૦૦ ચો.મી. જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવી હોવાની વિશ્વામિત્રી સમિતિએ વડોદરા મનપાને લેખિતમાં રજુઆત કરી હતી. ૬ મહિના થઈ ગયા હોવા છતાં કોઈ નોટિસ આપવામાં આવી નથી. એક કોર્પોરેટરે તો કલેક્ટર કચેરીએ જ ફરિયાદ દાખલ કરવા પહોંચી ગયા હતા તેવું પણ જાણવા મળેલ છે. વર્ષ પહેલા હાઈકોર્ટે ગેરકાયદે દબાણો દૂર કરવા સ્ટે આપ્યો નથી તેથી કોર્પોરેશન દબાણો પર બુલડોઝર ફેરવી શકે છે. ગણતરી મુજબ ૧૨ વર્ષથી દબાણ કર્યુ હોવાથી તંત્રએ ક્રિકેટર પાસેથી વર્ષે ૧૭ કરોડ લેવાના થાય. પરંતુ આજ સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી થઈ નથી, તો બીજી બાજુ મંદિરને નોટિસ પાઠવતા વિશ્વામિત્રી સમિતિએ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જનજાગૃતિ કાર્યક્રમ કરવાની ચીમકી આપી છે.