Jamnagar તા.24
જામનગર પંથક માં ચાર વર્ષ પહેલા એક સગીરા ને પ્રેમ જાળ માં ફસાવી અને લગ્ન ની લાલચ આપી ને ભગાડી લઈ ગયા પછી તેની સાથે દુષ્કર્મ આચારવા ના કેસ માં અદાલતે આરોપી ને ૨૦ વર્ષ ની સજા નો હકમ કર્યો છે.
જુલાઈ -૨૦૨૧ માં પોલીસ માં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી રણજીત ગણેશસિંહ રાજપુત (૨૩) નામનો પરપ્રાંતીય યુવાન ભોગબનનાર સગીરાના પરિચય માં આવ્યો હતો. અને ભોગબનનાર જામનગર ના એક કારખાનામા મજૂરી કામે જતી હતી ત્યાં થી આ સગીરા ને હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે. તેમ કહી ને ભગાડી લઈ ગયો હતો. અને આરોપી ના કાકા જેઓ ભાવનગર માં રહે છે ત્યાં બંને પહોંચ્યા હતા, પરંતુ તેમના લગ્ન થઈ નહીં થયા હોવા થી તેમના કાકા એ પોતાના ઘરે રહેવાની ના પાડી દીધી હતી.
આ બંને ત્યાંથી યુવકના વતન રાજસ્થાનમાં પહોંચ્યા હતા અને પોતાના સંબંધીના ઘરે રોકાયા હતા જ્યાં તેને સંતાડી રાખી હતી. આ આ અંગે જામનગર ના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરીને બંનેને ઝડપી લીધા હતા અને આરોપીને જેલ હવાલે કર્યો હતો.
આ અંગે નો કેસ જામનગર ની સ્પે. પોકસો અદાલત માં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસર ની જુબાની , દસ્તાવેજી પુરાવાઓ, તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો ને ધ્યાને લઈ જામનગરની સ્પે. પોકસો અદાલતના ન્યાયાધીશ વી.પી.અગ્રવાલ એ આરોપીને તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષ ની સખત કેદની સજા તથા રૂા. ૧૭,૦૦૦ ના દંડ નો હુકમ કર્યો છે . તેમજ ભોગબનનાર ને વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે રૂા. ૪,૦૦,૦૦૦ ચુકવવા નો પણ હુકમ કરેલ છે.
આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.