Bhavnagar, તા.૨૫
ગુજરાતમાં વધુ એક અકસ્માતના બનાવની ઘટના સામે છે. ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની માહિતી હજુ સામે નથી આવી. ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે રવિવારે (૨૫ મે, ૨૦૨૫) બે કાર વચ્ચે ગંભીર અકસ્માતના બનાવને પગલે પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, અને ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની માહિતી હજુ સામે નથી આવી. તમને જણાવી દઈએ કે, અગાઉ ૧૨ મેના રોજ ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર વાગતા અમદાવાદના ૩ સગા ભાઈ સહિત ૫ વ્યક્તિના મોત નીપજ્યા હતા.