Morbi,તા.29
બુધવારે અનેક વિસ્તારમાં બપોર સુધી કાપ રાખ્યા બાદ પણ સ્થિતિ જેસે થે
ગુરુવારે સવારે પણ અનેક વિસ્તારમાં લાઈટ જતા ગરમીથી લોકો બેહાલ
ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે પીજીવીસીએલ તંત્રને મેન્ટેનન્સ કામગીરી યાદ આવી હતી અને વીજ તંત્ર દ્વારા બુધવારે અગાઉથી પ્રેસ નોટ પ્રસિદ્ધ કરી લગભગ અડધા મોરબીમાં વીજકાપ રાખ્યો હતો સવારથી લગભગ ત્રણ ચાર કલાક સુધી મેન્ટેનન્સ કામગીરી કર્યા બાદ બુધવારે લાઈટ આવી અને એકાદ કલાકમાં ફરી વીજળી ગુલ થઇ હતી અને ગુરુવારે પણ સવારે અનેક વિસ્તારમાં લાઈટ જતી રહી હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે
મોરબી પીજીવીસીએલ દ્વારા બુધવારે ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનમાં GETCO દ્વારા કામગીરી કરવાની હોવાથી પીજીવીસીએલ શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી લાતી પ્લોટ ફીડર, ૧૧ કેવી હોસ્પિટલ, ૧૧ કેવી રાજનગર ફીડર, ૧૧ કેવીનગર ફીડરમાં તા. ૨૮ ને બુધવારે મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી સવારે ૭ થી ૧૧ કલાક સુધી બંધ રાખવામાં આવ્યું હતું વીજકાપ રાખી મેન્ટેનન્સ કામગીરી કરી હતી જે ચોમાસાની ઋતુ માટે આવકારદાયક ગણી સકાય પરંતુ કલાકો સુધી મેન્ટેનન્સ કર્યા બાદ જે વિસ્તારમાં કામગીરી કરવામાં આવી તે પૈકીના સાવસર પ્લોટ સહિતના અનેક વિસ્તારમાં એક કલાકના સમયમાં ફરી લાઈટ જતી રહી હતી એટલું જ નહિ બુધવારે મેન્ટેનન્સ કામગીરી કરાઈ તે પૈકીના અનેક વિસ્તારમાં બુધવારે આખા દિવસ દરમિયાન બેથી ત્રણ વખત વીજળી ગુલ થઇ હતી
મોરબીમાં હજુ વરસાદનો છાંટો પણ પડ્યો નથી કે પવન ફૂંકાતો નથી ત્યારે આ હાલત છે તો ચોમાસામાં શું સ્થિતિ થશે તે વિચારી નાગરિકો ભયથી ધ્રુજી રહ્યા છે બુધવારે મેન્ટેનન્સ કામગીરી બાદ બેથી ત્રણ વખત વીજળી ગુલ થઇ હતી તો ગુરુવારે સવારે પણ લાઈટ જતી રહી હતી જેથી લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈને પરેશાન થયા હતા પરંતુ એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને નાગરિકોની પીડા સાથે શું લેવાદેવા ? તેવો ઘાટ જોવા મળી રહ્યો છે