Morbi,તા.04
શકત શનાળા ગામે તળાવમાં ન્હાવા ગયેલ આઠ વર્ષનું બાળક ડૂબી જતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના શકત શનાળા ગામે શક્તિ માતાજી મંદિર પાસે રહેતા અમિત ગોપાલભાઈ કાનાણી (ઉ.વ.૦૮) નામનું બાળક ગત તા. ૦૩ ના રોજ ગામના તળાવમાં ન્હાવા ગયો હતો અને તળાવના પાણીમાં ડૂબી જતા એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને બાળકને મરણ ગયેલ જાહેર કર્યો હતો મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે