એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમને તપાસી, સિક્યોરિટી ખામી શોધી અને અંતે ડેટાબેઝને એન્ક્રિપ્ટ કરી દીધો : ભવિષ્યમાં રેન્સમવેર ગેંગ્સ એઆઈ એજન્ટ્સનો ઉપયોગ કરીને એકસાથે અનેક સંસ્થાઓ પર એટેક કરશે
California તા.૭
સાયબર ક્રાઇમની દુનિયામાં એક એવો કેસ સામે આવ્યો છે, જેને ભવિષ્યના ખતરાની ઝલક માનવામાં આવી રહ્યો છે. સાયબર સિક્યોરિટી કંપની જીઅજઙ્ઘૈખ્તના રિસર્ચર્સે દાવો કર્યો છે કે તેમણે દુનિયાનો પહેલો એઆઈ-રન રેન્સમવેર એટેક ઓળખ્યો છે. હેકર્સ અત્યાર સુધી એઆઈનો ઉપયોગ કોડ લખવા કે ફિશિંગ ઇ-મેઇલ તૈયાર કરવા જેવા કામમાં કરતા હતા, પરંતુ આ કેસમાં એઆઈએ જાતે જ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.રિપોર્ટ અનુસાર, ત્નટ્ઠઙ્ઘીેઁકકીિ નામના એઆઈ એજન્ટે ટાર્ગેટ સિસ્ટમની તપાસ કરી, તેમાં રહેલી સિક્યોરિટી ખામીઓ શોધી, લોગિન ક્રેડેન્શિયલ્સ મેળવ્યાં, નેટવર્કમાં આગળ વધ્યું અને અંતે ડેટાબેઝને એન્ક્રિપ્ટ કરી દીધો. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે જો કોઈ તબક્કે તેને અવરોધ મળ્યો, તો તેણે તરત જ નવી રીત અપનાવી અને હુમલો ચાલુ રાખ્યો.સાયબર એક્સપટ્ર્સના જણાવ્યા અનુસાર, આ પ્રકારના છયીહૌબ એઆઈ અને સામાન્ય એઆઈ વચ્ચે મોટો તફાવત છે. સામાન્ય એઆઈ યુઝર્સના પ્રશ્નોના જવાબ આપે છે અથવા સૂચના મુજબ કામ કરે છે, જ્યારે છખ્તીહૈંષ્ઠ એઆઈ પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને પોતે નિર્ણય લઈ શકે છે. તે એક પછી એક અનેક સ્ટેપ્સ પૂરા કરી શકે છે. આ કારણે આવા એઆઈનો ઉપયોગ સાયબર હુમલાઓમાં થવા લાગશે તો હેકિંગ વધુ ઝડપથી અને મોટા પાયે થશે.આ ઘટના પછી સાયબર સિક્યોરિટી ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. એક્સપટ્ર્સનું માનવું છે કે ભવિષ્યમાં રેન્સમવેર ગેંગ્સ એઆઈ એજન્ટ્સનો ઉપયોગ કરીને એકસાથે અનેક સંસ્થાઓ પર હુમલા કરી શકે છે. તેથી કંપનીઓએ મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (સ્હ્લછ), સમયસર સોફ્ટવેર અપડેટ્સ, નિયમિત બેકઅપ, ક્લાઉડ સિક્યોરિટી અને છૈં આધારિત ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

