Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન

    September 20, 2025

    દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે

    September 20, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે

    September 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન
    • દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે
    • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે
    • Nepal માં જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન પછી જેલમાંથી ભાગી ગયેલા ૮,૦૦૦ કેદીઓ હજુ પણ મુક્ત ફરે છે
    • Hizbul Mujahideen અને જૈશ-એ-મોહમ્મદ પીઓકેથી કેપીકે ભાગી રહ્યા છે
    • 21 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 21 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Adyashakti ર્માંની આરતીનો આધ્યાત્મિક અર્થ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»દુનિયાભરમાં ૨૪ લોકોને જ છે એવી બિમારીનો કેસ Meghalaya માં નોંધાયા
    રાષ્ટ્રીય

    દુનિયાભરમાં ૨૪ લોકોને જ છે એવી બિમારીનો કેસ Meghalaya માં નોંધાયા

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૪ વર્ષ બાદ ફરી પોલિયોનો મામલો સામે આવ્યો : બાળકમાં પોલિયોમેલિટિસના લક્ષણો જોવા મળ્યા

    નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમીે

    New Delhi, તા.૨૧

    મેઘાલયમાં બે વર્ષના બાળકમાં પોલિયોની પુષ્ટિ થયા બાદ આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. ૨૦૧૧ પછી દેશમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. આથી WHOએ ૨૦૧૪માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. પરંતુ ૧૪ વર્ષ બાદ ફરી પોલિયોનો મામલો સામે આવ્યો છે, જેના કારણે દેશભરમાં ચિંતા વધી ગઈ છે. પોલિયો એ એક વાયરસ છે જે બાળકોનમાં ગંભીર વિકલાંગતાનું કારણ બની શકે છે. તેનો કોઈ ઈલાજ નથી, તેથી આ રોગને રોકવા માટે રસીકરણ એ જ સૌથી અસરકારક ઉપાય છે.

    મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના ટીકરીકિલા ગામમાં પોલિયોનો કેસ નોંધાયો હતો. બે વર્ષના બાળકમાં પોલિયોના લક્ષણો જોવા મળ્યા છે. હાલ બાળકની આસામના ગોલપારા જિલ્લાની હોસ્પિટલમાં એક્યુટ ફ્લેક્સિડ પેરાલિસિસની સારવાર ચાલી રહી છે.

    કેન્દ્રના અધિકારીના જણાવ્યા અનુસાર, આ ચેપ એવા લોકોમાં થાય છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. મેઘાલયના સીએમ કોનરાડ કે સંગમાએ જણાવ્યું હતું કે બાળકમાં એક અઠવાડિયા કરતાં વધુ સમય પહેલા પોલિયોમેલિટિસના લક્ષણો જોવા મળ્યા હતા. આથી બાળકના મળ અને અન્ય સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ WHO ના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (ICMR) ના કેન્દ્રોમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

    આ બાબતે સીએમએ રાજધાની શિલોંગમાં પત્રકારોને કહ્યું કે મામલો ગંભીર છે. આથી સરકાર તેની સમીક્ષા કરી રહી છે. ઓરલ પોલિયો રસી NIV) ઘણી ઓછી માત્રામાં વાયરસ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર કામ કરે છે.

    જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો રસી આપ્યા બાદ તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે. આથી જેટલા લાંબા સમય સુધી તે શરીરમાં રહેશે તેટલી વધુ તે નુકસાન પહોંચાડશે. અમુક કેસમાં તે લકવાનું કારણ પણ બની શકે છે. WHO અનુસાર આ સર્ક્‌યુલેટિંગ વેક્સીન ડિરાઇવ્ડ પોલિયો વાયરસ (Circulating vaccine derived poliovirus) છે.

    ૨૦૦૦ થી ૩ અબજ બાળકોને ૧૦ બિલિયનથી વધુ OPV ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે હવે ભારતમાં જે નવો કેસ સામે આવ્યો છે તેવા ૨૪ કેસ ૨૧ દેશોમાં નોંધાયા છે.જો બાળકને તાવ, થાક, ઝાડા, કબજિયાત અથવા માથાનો દુખાવા સાથે ઉલ્ટી થાય છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. આ ટૂંકા ગાળાના ચેપનું કારણ બની શકે છે. નવા કેસ માટે પોલિયોની રસી જવાબદાર છે. એક પોલિયો વાયરસ બીજા પોલિયો વાયરસને મારી નાખે છે. જો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તે લાંબા સમય સુધી શરીરમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ઘણી વખત પરિવર્તન કરવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

    Meghalaya WHO
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Mumbai માં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી

    September 20, 2025
    રાષ્ટ્રીય

    RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત

    September 20, 2025
    રાષ્ટ્રીય

    ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર Canada

    September 20, 2025
    રાષ્ટ્રીય

    સામાન્ય લોકોને પોસાય તે પ્રકારે રખાશે Bullet Train નું ભાડું

    September 20, 2025
    રાષ્ટ્રીય

    યુદ્ધ કેમ લડવુ-ઝડપથી પૂરૂ કરવું એ દુનિયાએ ભારત પાસેથી શિખવાની જરૂર છે: Air Chief Marshal

    September 20, 2025
    રાષ્ટ્રીય

    Delhi ની અનેક સ્કુલોને વધુ એકવાર બોમ્બની ધમકી મળતા અફડાતફડી

    September 20, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન

    September 20, 2025

    દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે

    September 20, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે

    September 20, 2025

    Nepal માં જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન પછી જેલમાંથી ભાગી ગયેલા ૮,૦૦૦ કેદીઓ હજુ પણ મુક્ત ફરે છે

    September 20, 2025

    Hizbul Mujahideen અને જૈશ-એ-મોહમ્મદ પીઓકેથી કેપીકે ભાગી રહ્યા છે

    September 20, 2025

    21 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન

    September 20, 2025

    દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે

    September 20, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે

    September 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.