બાળકીનું બિમારી સબબ મૃત્યુના મામલે આલ્ફા હોસ્ટેલના સંચાલકોની બેદરકારી દાખવતા ગુનો નોંધાયો તો
Rajkot તા.૨૪ઃ
જસદણ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર આલ્ફા કોચિંગ ક્લાસની હોસ્ટેલમાં રહી ધો. પાંચમાં અભ્યાસ કરતી માસુમ છાત્રનું બિમારી સબબ મૃત્યુના મામલે સંચાલકોની જામીન અરજી નામંજુર કરી છે.
આ અંગેની હકીકત મુજબ, જસદણ નજીક આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર (હોસ્ટેલ)માં રહેતી અને મુળ મહુવા તાલુકાના મોટા જાદરા ગામની વતની અને ધોરણ-૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની બાળકી આયુષી રમેશભાઈ બલદાણીયાનું તાવ અને અછબડાની બીમારી બાદ સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું. જેથી બાળકીના પરીવારજનોએ સંચાલકો સામે આક્ષેપો કરતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી બાળકીના પિતાની ફરીયાદ ફરિયાદના આધારે આલ્ફા કોચિંગ સેન્ટરના સંચાલકો જયસુખભાઈ શંખારવા અને હિરેનભાઈ શંખારવા વિરુદ્ધ બેદરકારી સહીતનો ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી પૂર્ણ થતા જેલહવાલે કર્યા હતા. ત્યારબાદ બંને સ્કુલ સંચાલક બંધુએ રેગ્યુલર જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જિલ્લા સરકારી વકીલની દલીલો માન્ય રાખી અદાલતે બન્ને આરાપીઓની જામીન અરજી ફગાવી હતી. આ કામમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા અને મદદનીશ સરકારી વકીલ પરાગ શાહ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.

