Surendaranagar , તા.27
સમગ્ર વિસ્તારમાં વરસી રહેલા સતત વરસાદને કારણે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. બ્રાહ્મણી નદીમાં આવેલા પ્રચંડ પૂરના કારણે આંબરડી નજીક આવેલો પુલ ધસમસતા પાણીના પ્રવાહમાં તૂટી ગયો છે. પુલ તૂટી જવાથી આંબરડી-મોરબી માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
માર્ગ ક્ષતિગ્રસ્ત થતાં સરા, રામપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોરબી જતો મુખ્ય વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પરિણામે સરા અને મોરબી વચ્ચેની તમામ પ્રકારની અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ રોડ હાલમાં ખૂબ જ તૂટી જતા લઈને પસાર થવું પણ મુશ્કેલી ભરી બન્યું છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મુલાકાત કરી રસ્તો યોગ્ય કરવામાં આવે તેવી અમારી માંગ છે.

