જમીનના આ મોટા વિસ્થાપનને કારણે જ દેશની રાજધાની કાસાકસ અને લા ગુએરા જેવા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી
Venezuela, તા.૨૭
વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા બે વિનાશક ભૂકંપને લઈને ભારતીય અંતરિક્ષ એજન્સી ૈંજીર્ઇં અને અમેરિકન અંતરિક્ષ એજન્સી દ્ગછજીછના સંયુક્ત મિશન ‘દ્ગૈંજીછઇ’ સેટેલાઈટે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સેટેલાઈટ ડેટાના વિશ્લેષણ પરથી સામે આવ્યું છે કે આ ભીષણ ભૂકંપના કારણે કેટલીક જગ્યાઓએ જમીન લગભગ ૬૦ સેન્ટીમીટર (આશરે ૨ ફીટ) સુધી ખસી ગઈ હતી. જમીનના આ મોટા વિસ્થાપનને કારણે જ દેશની રાજધાની કાસાકસ અને લા ગુએરા જેવા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાી હતી.વૈજ્ઞાનિકોએ ૨૪ જૂને આવેલા ભૂકંપ પહેલાં અને પછી દ્ગૈંજીછઇ સેટેલાઈટ દ્વારા લેવાયેલી પૃથ્વીની તસવીરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ માટે ૧૩ અને ૧૮ જૂનના ડેટાની સરખામણી ૨૫ અને ૩૦ જૂને મેળવેલા ડેટા સાથે કરવામાં આવી હતી, જેથી ભૂકંપના કારણે પૃથ્વીની સપાટી પર થયેલા ભૌગોલિક ફેરફારોને સચોટ રીતે સમજી શકાય.ઉલ્લેખનીય છે કે ૨૪ જૂને ઉત્તરીય વેનેઝુએલામાં ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના માત્ર ૩૯ સેકન્ડ બાદ ૭.૫ની તીવ્રતાનો બીજો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. આ હોનારતમાં ૫૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૧૬,૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. કરાકસ અને લા ગુએરા ઉપરાંત ત્રુજિલો, યારાકુય, કારાબોબો, અરાગુઆ અને મિરાન્ડા જેવા રાજ્યોમાં પણ આ ભીષણ ભૂકંપની વ્યાપક અસર જોવા મળી હતી.જમીનની સપાટીમાં થયેલા અત્યંત સૂક્ષ્મ ફેરફારોને માપવા માટે વૈજ્ઞાનિકોએ ‘ઈન્ટરફેરોમેટ્રિક સિન્થેટિક અપર્ચર રડાર’ (ૈંહજીછઇ) ટેન્કોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ટેન્કોલોજીમાં સેટેલાઈટ જ્યારે વારંવાર એક જ સ્થળ પરથી પસાર થાય છે, ત્યારે જમીન અને સેટેલાઈટ વચ્ચેના અંતરમાં થતા ફેરફારને ચોકસાઈથી નોંધવામાં આવે છે. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ મોટો ભૂકંપ આવ્યા બાદ જમીન પર થયેલા ફેરફારોનું મેપિંગ કરવા માટે દ્ગૈંજીછઇની ‘અર્જન્ટ રિસ્પોન્સ સિસ્ટમ‘નો ઉપયોગ કરવામાં આવ્યો હોય.દ્ગછજીછની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ભૂ-ભૌતિકશાસ્ત્રી એરિક ફિલ્ડિંગના જણાવ્યા મુજબ, ભૂકંપની ફોલ્ટ લાઈન દરિયામાંથી પસાર થઈને પૂર્વ તરફ આગળ વધી હતી અને કરાકસના ઉત્તરમાં આવેલા ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પાસે દરિયાકિનારાની જમીન સાથે જોડાઈ ગઈ (એટલે કે કિનારે પાછી આવી).આ વિસ્તારના દક્ષિણ ભાગમાં જમીનનું ખસવું સૌથી વધુ એટલે કે લગભગ ૬૦ સેમી જેટલું નોંધાયું હતું, જેના કારણે જ આ વિસ્તારોમાં સૌથી વધુ વિનાશ વેર્યો હતો. દ્ગૈંજીછઇ સેટેલાઈટ પૃથ્વીને સીધી ઉપરથી જોવાને બદલે ૪૦ ડિગ્રીના ખૂણેથી જોતી હોવાથી તે જમીનના આડા અને ઊભા બંને પ્રકારના ફેરફારોને સરળતાથી રેકોર્ડ કરી શકે છે.

