New Delhi,તા.29
જંતર મંતર આંદોલનના સમેટા બાદ આ આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થીઓથી યુવાનો સામે કેસમાં ગઈકાલે સુપ્રીમકોર્ટ જેઓના ક્રિમીનલ રેકોર્ડ છે તથા ગંભીર અપરાધ છે તેની સામે એફઆઈઆર ચાલુ રાખવાના આપેલા આદેશનો સરકાર નિર્દોષ-વિદ્યાર્થી આંદોલનકારીઓને નિશાન બનાવશે.
તો ફરી રોડ પર ઉતરશું તેવી ચેતવણી કોકરોચ જનતા પાર્ટીએ આપી છે. આ પક્ષના પ્રવકતા સૌરવ દાસે માઈક્રોમીડીયા પ્લેટફોર્મ એકમ પર એક સંદેશમાં સુપ્રીમકોર્ટના આદેશને નિર્દોષ આંદોલનકારીઓ સામે હથિયાર નહી બનાવવા જણાવતા ઉમેર્યુ કે, સરકાર સાથે થયેલી સમજુતી મુજબ જે તમામ એફઆઈઆર પરત ખેચવાની હતી તે ડેડલાઈન પુરી થઈ છે.
જો હવે પોલીસના હાથે આંદોલનકારીઓની સતામણી ચાલુ રહેશે તો કોકરોચ જનતા પાર્ટી ફરી વિશાળ આંદોલન છેડશે. સરકારે ફકત બદલાની ભાવનાથી વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવાનું બંધ કરી દેવું જોઈએ. નહીતર ફરી દેશના માર્ગો યુવાઓનો અવાજ બનશે.

