Jamnagar,તા.21
જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસુલવા અંગેનો વધુ એક ગુન્હો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ફરસાણના એક વેપારીએ ધંધા માટે પાંચ લાખ લીધા હતા. બાદમાં નવ લાખ ચૂકવી દીધા છતાં પણ ધન લાલચુ આરોપીએ વધુ રકમની માંગણી કરતા વેપારીના પગતળેથી જમીન સરકી ગઈ હતી. જે મામલે ફરસાણના વેપારી સામે જામનગરની અદાલતમાં 24 લાખના ચેક રિટર્નની ફરિયાદ પણ કરાવી દીધી હતી.
એટલું જ નહિ વેપારીએ પોતાની ત્રણ દુકાનો બંધ કરવાનો વારો આવ્યો છે. આથી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ વ્યાજખોર સામે ફરસાણના વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિગત અનુસાર જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને ઉદ્યોગ નગરમાં હાલમાં ફરસાણનું ગોડાઉન ધરાવતા સુમિતભાઈ મહેશભાઈ પારવાણી નામના વેપારી યુવાને જામનગરમાં કે.પી.શાહ ની વાડી પાછળ નંદન પાર્કમાં આશાપુરા પ્રોવિઝન સ્ટોર ચલાવતા વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
જેમા રાક્ષસી વ્યાજ વસૂલવા અને 24 લાખનો ચેક રિટર્ન કરાવી લેવાનો દાવો કરાયો છે. ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરસાણ ના વેપારી સુમિતભાઈ કે જેનું હાલ ઉદ્યોગ નગરમાં ગોડાઉન છે.
પરંતુ અગાઉ તેની ફરસાણની ત્રણ દુકાનો હતી, અને પોતાના વેપારની જરૂરિયાત માટે આરોપી વિજયસિંહ જાડેજા પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. જેનો ચાર ટકા લેખે દર મહિને 20.000 રૂપિયા વ્યાજ નો હપ્તો ચૂકવતા હતા,અને કુલ 2,50,000 ની મુદ્દલ ની રકમ અને રિપિયા 4લાખ નું વ્યાજ વગેરે સહિત 2,60હજાર સૌ પ્રથમ ચૂકવી દીધા હતા, ત્યારબાદ અન્ય એક સ્કીમ માં બંનેએ રોકેલા નાણા ડૂબી જતા તે પૈકીના દસ લાખ રૂપિયા પણ વેપારીએ આપવા પડશે.
તેમ કહીને 2 લાખ પચાસ હજારનો કોરો ચેક બેંકમાં નાખી ચેક રિટર્ન કરાવી લીધો હતો. સમગ્ર પ્રકરણમાં વેપારી દ્વારા પણ વ્યાજખોરને કુલ નવ લાખ દસ હજાર જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં હજુ મુદ્દલ વઅને વ્યાજની માંગણી કરાતી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવાનું છે.ઉપરાંત છેલ્લા દોઢેક વર્ષના સમય ગાળા દરમિયાન ઉપરોક્ત આરોપીએ તો જયાદીની દુકાનના અને ગોડાઉનમાંથી આઠથી નવ લાખ જેટલુ ફરસાણ લઈને બારોબાર વેચી નાખ્યો હોવાનું પણ જણાવા નું છે.
પરંતુ વધુ વ્યાજ અને મુદ્દલ ની પઠાણી ઉઘરાણી તેમજ હઅદાલત માણસ કરેલી છે એના મુદ્દાને ધ્યાનમાં રાખીને ફરસાણના વેપારીએ જામનગરના વ્યાજખોર વિજય સિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે.