New Delhi, તા.1
જંતર મંતર આંદોલન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતા વિડીયો પ્રસારીત થયા હતા જેમાં સૌથી ચર્ચીત બનેલા એક વિડીયો પોસ્ટ કરનાર રૂચીકાસિંહે હવે વધુ એક વિડીયો જાહેર કરી પોતાની ભૂલ થઈ ગઈ હોય તથા કેટલાક લોકોના પ્રભાવમાં તે આવીને પીએમ મોદી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હોય તેવું સ્વીકારી વડાપ્રધાન અને પુરા દેશની માફી માંગી લીધી છે.
15 વર્ષની રૂચીકાસિંહ અને અન્ય એક બાળકીએ પણ માફી માંગી છે. બે દિવસ પહેલા જ રૂચીકાસિંહ વિરુદ્ધ નોઈડામાં એક એફઆઈઆર નોંધવામાં આવી હતી અને બાદમાં તે દિલ્હીના સંસદ થાણા માર્ગ પર ટ્રાન્સફર કરવામાં આવી હતી.
વડાપ્રધાને પણ ગઈકાલે એક વિડીયો સંદેશમાં તેમના તથા તેમના માતા માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓને માફ કર્યા છે અને એ સંકેત પણ આપ્યો હતો કે આ પ્રકારે જેઓ ફકત કોઈની દોરવણીથી આ વિડીયો બનાવ્યા છે તેઓ સામે કોઈ કાર્યવાહી થશે નહી. આમ હવે રૂચીકાસિંહે માફી માંગી લેતા તેમની સામે કોઈ કાર્યવાહી થવાની શકયતા નથી.

