ઘણા લોકોનું હીમોગ્લોબિન લેવલ ઓછું હોય છે. લોહીની ઊણપ કે આયરનની ખામીની સમસ્યા મહિલાઓમાં અને બાળકોમાં વધારે જોવા મળે છે. શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો શરીરના અંગો સુધી પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન પહોંચતું નથી. લોહી ઓછું હોય તો દાદી-નાની ગોળ અને દાળિયા ખાવાની સલાહ આપે છે. કહેવામાં આવે છે કે તેનાથી લોહી વધે છે. પરંતુ ઘણા લોકોને એ જાણવું હોય છે કે ગોળ અને દાળિયા શરીરમાં કેવી રીતે લોહી વધારે છે ? તો ચાલો તમને જણાવીએ આ કામ કેવી રીતે થાય છે. હેલ્થલાઈન રિપોર્ટ અનુસાર 100 ગ્રામ ગોળમાં 8 થી 11 મિલીગ્રામ આયરન હોય છે સાથે જ ગોળમાં આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે. જ્યારે 100 ગ્રામ ચણા એટલે કે દાળિયામાં અંદાજે 4 થી 5 મિલીગ્રામ આયરન હોય છે. પરંતુ તેમાં પ્રોટીન 20 થી 22 ગ્રામ જેટલું હોય છે. શરીરમાં હીમોગ્લોબિન વધે તે માટે આયરનની જરૂર પડે છે. ગોળ અને ચણા બંને વસ્તુ આયરન આપે છે. ચણામાં પ્રોટીન હોય છે જે હીમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે. ગોળમાં રહેલા નેચરલ કંપાઉન્ડ આયરનને સારી રીતે એબ્સોર્બ કરવામાં મદદ કરે છે. જો કે કોઈ વ્યક્તિને ગંભીર એનિમિયા હોય તો ગોળ ચણા પર આધાર ન રાખવો જોઈએ. આ સ્થિતિમાં ડોક્ટરની જ સલાહ લેવી જોઈએ. સામાન્ય સ્થિતિમાં ગોળ-ચણા ખાવા હેલ્ધી રહે છે. ગંભીર સ્થિતિમાં યોગ્ય દવા લેવી જ હિતાવહ છે.
Trending
- શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?
- 19 ઓગસ્ટનું પંચાંગ
- 19 ઓગસ્ટનું રાશિફળ
- India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે
- Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી
- ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police
- પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો
- ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા

