New Delhiતા.૬
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભાજપના આઇટી વિભાગના વડા અમિત માલવિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર ડીઝલ અને એવિએશન ટર્બાઇન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની યોજના બનાવવાનો આરોપ લગાવ્યો. તેમણે એવો પણ દાવો કર્યો કે ઈ૨૦ ઇંધણ પછી સરકાર પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનું પ્રમાણ ૫૦ ટકાથી વધુ કરશે. કેજરીવાલે લોકોને હાલ પૂરતું નવા પેટ્રોલ અને ડીઝલ વાહનો ખરીદવાનું ટાળવા વિનંતી કરી.
તેમણે કહ્યું કે સરકારે ઈ૦ અને ઈ૧૦ વાહનોમાં ઈ૨૦ પેટ્રોલ ઉમેરીને પહેલાથી જ નુકસાન પહોંચાડ્યું છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે સરકાર વૈજ્ઞાનિક અભ્યાસોનો આદર કર્યા વિના ઈ૨૦ ની જેમ ઈ૫૦ લાગુ કરશે. તેમણે માલવિયાને ઈ૨૦ પેટ્રોલ લાગુ કરતા પહેલા હાથ ધરાયેલા કોઈપણ અભ્યાસ જાહેર કરવા પડકાર ફેંક્યો.
અમિત માલવિયાએ કેજરીવાલના આરોપોને ફગાવી દીધા, કહ્યું કે કેન્દ્ર સરકારે ઈ૨૦ થી આગળ મિશ્રણ વધારવાનો કોઈ નિર્ણય લીધો નથી. તેમણે કેજરીવાલની દલીલને હકીકતો કરતાં ડર પર આધારિત ગણાવી. માલવિયાએ કહ્યું કે ઈ૨૦ વૈજ્ઞાનિક અભ્યાસ વિના લાગુ કરવામાં આવ્યું ન હતું. દેશનો ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ બે દાયકાથી વધુ સમયથી ચાલી રહ્યો છે.
સૂત્રોનો ઉલ્લેખ કરીને, કેજરીવાલે દાવો કર્યો કે મોદી સરકાર છ્હ્લ માં ઇથેનોલ મિશ્રણ કરવાની પણ યોજના બનાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર પરિસ્થિતિ શાંત થવાની રાહ જોઈ રહી છે, ત્યારબાદ તે પેટ્રોલમાં ૫૦ ટકાથી વધુ ઇથેનોલ ભેળવશે. કેજરીવાલે કહ્યું કે જો કોઈ આજે નવું ઈ૨૦ વાહન ખરીદે છે, તો સરકાર થોડા દિવસોમાં તેને ઈ૫૦ પેટ્રોલથી ભરીને તેને બગાડી નાખશે. તેમણે સરકારના અભિગમને વિજ્ઞાન અને ટેકનોલોજીનો અનાદર ગણાવ્યો.
અમિત માલવિયાએ કેજરીવાલ પર ખોટા સમાચાર ફેલાવવાનો અને બિનજરૂરી પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ઈ૫૦ પર ચર્ચા ઉભી કરવી એ ફક્ત ભય ફેલાવવાનો છે. માલવિયાએ એ પણ સ્પષ્ટ કર્યું કે ઈ૨૦ એ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નહોતો. ઈ૨૦ લાગુ કરતા પહેલા તમામ હિસ્સેદારો સાથે વ્યાપક પરીક્ષણ અને પરામર્શ કરવામાં આવ્યો હતો.

