Mumbai,તા.26
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પોતાના પ્રારંભિક ક્રિકેટ કરિયર અને સંઘર્ષના દિવસોને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ભાવુક ખુલાસો કર્યો છે. હાલ શ્રીલંકા સામે કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન એક ખાસ વાતચીતમાં સિરાજે જણાવ્યું હતું કે અંડર-23 ટીમની સિલેક્શન મેચ દરમિયાન તેની સાથે એક એવો ગંભીર બાઇક અકસ્માત સર્જાયો હતો, જેમાં તેનો જીવ પણ જઈ શકતો હતો.
શ્રીલંકા સામેની આ ટેસ્ટ શ્રેણીમાં મોહમ્મદ સિરાજ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ગાલે ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં સિરાજે ધારદાર બોલિંગ કરતા કુલ 5 વિકેટ ઝડપીને ભારતીય ટીમને 165 રનથી ભવ્ય વિજય અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મોહમ્મદ સિરાજે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, જ્યારે હૈદરાબાદ અંડર-23 ટીમ માટે મહત્ત્વની સિલેક્શન મેચ રમાવાની હતી ત્યારે તે પોતાની બાઇક લઈને મેદાન તરફ નીકળ્યો હતો. રસ્તામાં અચાનક તેની બાઇક સ્લિપ થઈ ગઈ હતી અને તે રસ્તા પર જોરથી પટકાયો હતો. સિરાજે આ ઘટના અંગે વિગત આપતાં કહ્યું:

