Ahmedabad,તા.૧૨
શહેરના શીલજ વિસ્તારમાં આવેલી આનંદની કેતન સ્કૂલ વિવાદમાં સપડાય છે અહીં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં કાચનો ટુકડો નીકળતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સાથે રાખીને શાળાની કેન્ટીનમાં તપાસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. બીજી તરફ અમદાવાદની અન્ય ખાનગી શાળાઓ કે, જે કેન્ટીન ચલાવે છે ત્યાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે.
શીલજની આનંદની કેતન સ્કુલની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે. આનંદની કેતન સ્કૂલ જેવી ઘટના શહેરની અન્ય શાળાઓમાં ન બને તે હેતુથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ શાળાઓ કે જ્યાં કેન્ટીન સેવા ઉપલબ્ધ છે. જ્યાં વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે. ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે જે પ્રકારે શીલજની આનંદની કેતન સ્કૂલની કેન્ટીનમાં વિદ્યાર્થીને આપવામાં આવેલા ભોજનમાં કાચનો ટુકડો મળ્યાની ફરિયાદ મળી હતી.
ત્યારબાદ વાલીઓએ શાળાએ જઈ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત જે વિદ્યાર્થીને ભોજનમાં કાચનો ટુકડો નીકળ્યો હતો તેને મેડિકલ તપાસ બાદ ડોક્ટર દ્વારા એ કાચનો ટુકડો માંગવામાં આવતા શાળાના સંચાલકોએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, શાળા દ્વારા વિદ્યાર્થિની મેડિકલ રિપોર્ટમાં તપાસ માટેની કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હતી. જેથી નારાજ થયેલા વાલીઓએ સ્કૂલમાં કોબાળો મચાવ્યો હતો.
આ ઉપરાંત શાળાના અન્ય કેટલાક બેદરકારી ભર્યા મુદ્દાઓ સામે આવ્યા હતા જેમાં શાળા દ્વારા વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી પ્રાર્થના કરવામાં ન આવતી હોવાનું આ ઉપરાંત અન્ય ધર્મના પુસ્તકો ભણાવવા માટે ફરજ પાડવામાં આવતી હોવાનું તેમજ નેશનલ એન્થમ પણ શાળામાં વિદ્યાર્થીઓને કરાવવામાં ન આવતું હોવાની ફરિયાદો અને આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેના પગલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એ પણ શાળાએ જઈ હોબાળો કર્યો હતો. જેના પગલે આનંદ નીકેતન સ્કૂલ વિવાદમાં સપ્લાય હતી. આખરે પોલીસે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓએ વાલીઓ સાથે બેઠક કરી સમગ્ર મામલો થાળી પાડ્યો હતો.
આ ઘટનાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી હતી અને શાળામાં ચાલતી કેન્ટીનમાં કેવા પ્રકારનું ફૂડ વિદ્યાર્થીઓને મળે છે તેની તપાસ માટે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમને જાણ કરી હતી. જોકે સ્કૂલ સત્તાધીશોએ પણ તાત્કાલિક અસરથી કેન્ટીન સ્ટાફ અને મેનેજમેન્ટ બદલી નાખ્યું છે. ત્યારે આ ઘટનાથી બોધપાઠ લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરની તમામ ખાનગી શાળાઓ કે જ્યાં કેન્ટીન દ્વારા ભોજન આપવામાં આવે છે ત્યાં સરપ્રાઈઝ ચેકિંગના આદેશ કર્યા છે.

