- વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!
- ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ
- યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol
- CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી
- iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક
- Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
- ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson
- મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો
Author: Vikram Raval
ત્રણ મહિલાઓ સહીત ચાર લોકોનું પરિવાર સાથે મિલન કરાવતી શાપર(વે.) પોલીસ Rajkot,તા.31 રાજકોટ ગ્રામ્ય વિસ્તારના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી પોલીસ સ્ટેશન ખાતે આવતા તમામ અરજદારોને શક્ય હોય તેટલી વધુ મદદ કરી પોલીસ પ્રજાની મિત્ર છે સૂત્રને સાર્થક કરવા જિલ્લા પોલીસવડા હિમકરસિંહ અને ડીવાયએસપી કે જી ઝાલાની સૂચનાને પગલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી રાણા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનાર વ્યક્તિઓને શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. જે આદેશને પગલે શાપર પોલીસની અલગ અલગ ટીમોએ ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ કરી છેલ્લા 15 દિવસમાં ગુમ થયેલી ચાર…
દોઢ વર્ષ સુધી નાણાં પરત નહિ આપતાં ફરિયાદીએ ઉઘરાણી શરૂ કરી તો નવા નવા બહાના બતાવતા Rajkot,તા.31 શહેરના નિર્મલા રોડ પર આવેલ પારસ સોસાયટીમાં રહેતા સોની વેપારીએ તેમના પાંચ વર્ષ જૂના બે મિત્રોને ફ્લેટ લેવા માટે 29.98 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ વીતી ગયા છતાં પણ બુસા બંધુએ પૈસા પાછા નહીં આપી અને અલગ અલગ બહાના આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.વધુ વિગતો મુજબ નિર્મળા રોડ પર પારસ સોસાયટી પારસ હોલની સામે શાશ્વત એપાર્ટમેન્ટ એ-વીંગ ફ્લેટ નં.૩૦૧ ચેતનભાઇ વિનોદરાય ધકાણ(ઉ.વ.૫૫)એ કમલેશ બાબુ બુસા અને તેમના ભાઈ રવિન્દ્ર બાબુ વિરુદ્ધ 29.98 લાખની છેતરપિંડી…
તા.01-06-2025 રવિવાર મેષ આજના દિવસે પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માં થી સલાહ લયી શકો છો અને તેને પોતાના જીવન માં સ્થાન પણ આપી શકો છો, જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો. જ્યારે તમારી પાસે વધુ મફત સમય હોય, ત્યારે નકારાત્મક વિચારો તમને વધુ પરેશાન કરે છે. તેથી સકારાત્મક પુસ્તકો વાંચો, મનોરંજક મૂવી જુઓ અથવા…
તા.01-06-2025 રવિવાર તિથિ ષષ્ટિ (છઠ્ઠ) – 20:02:33 સુધી નક્ષત્ર આશ્લેષા – 21:37:38 સુધી કરણ કૌલવ – 08:03:58 સુધી, તૈતુલ – 20:02:33 સુધી પક્ષ શુક્લ યોગ ધ્રુવ – 09:11:07 સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:53:42 સૂર્યાસ્ત 19:20:57 ચંદ્ર રાશિ કર્ક – 21:37:38 સુધી ચંદ્રોદય 10:56:00 ચંદ્રાસ્ત 24:18:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 8 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:27:14 અશુભ સમય દુર મુહુર્ત 17:33:19 થી 18:27:08 ના કુલિક 17:33:19 થી 18:27:08 ના દુરી / મરણ 10:22:47 થી 11:16:36 ના રાહુ કાળ 17:40:02 થી 19:20:56 ના કાલવેલા/અર્ધ્યામ 12:10:25 થી 13:04:14 ના યમ ઘંટા 13:58:03 થી 14:51:52 ના યમગંડ 12:37:19…
જામજોધપુર ખાતે માઠા પ્રસંગમાં હાજરી આપવા ગયેલ પરિવારના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી : આજીડેમ પોલીસમાં ગુનો Rajkot,તા.31 શહેરની ભાગોળે આવેલો ખોખડદડ રોડ પર આવેલા જય અંબે ઓમ રેસિડેન્સીમાં રહેતા અને એકાઉન્ટન્ટનું કામ કરતા યુવાન તેમના પરિવાર સાથે માઠા પ્રસંગે જામજોધપુર ગયા બાદ ત્યાંથી પરત ફર્યા ત્યારે તેમના મકાનમાંથી રોકડ અને દાગીના સહિત 1.97 લાખની ચોરી થયાની જાણ થતા તેમણે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ઘટનામાં મેહુલભાઈ દિનેશભાઈ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગંગા ફોર્જીંગ લિમીટેડ, સડક પીપડીયા, ખાતે એકાઉન્ટ તરીકે પ્રા.નોકરી કરુ છું.ગઈ તા.૨૮/૦૫ના રોજ મારા કાકા શૈલેશભાઈ બાબુભાઈ પંડ્યા મોટી ગોપ, જામજોધપુર,જામનગર વાળા મરણ ગયેલ હોય જેથી હુ તથા…
Rajkot,તા.31 માધાપર સ્કૂલમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. સ્થાનિક નાગરિકો તેમજ તથા શિક્ષકો આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા હતા, તેવામાં આકાશમાંથી ડ્રોન દેખાતાં ચેતવણીના ભાગરૂપે સાયરન વાગે છે, નાગરિકોને સુરક્ષિત સ્થળે જવા શાળાના શિક્ષકો માર્ગદર્શન આપે છે. આ તકે એક ડ્રોન તૂટી પડે છે ને કેટલાક સ્થાનિકો ઈજાગ્રસ્ત થાય છે, વેકેશનનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળે છે. તુર્તજ શાળાના આચાર્ય દ્વારા 108, ફાયર, પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે. થોડી મિનિટોમાં ફાયર તેમજ 108 ની ટીમો ઘટના સ્થળે પહોંચે છે. ઘાયલોને ઇમર્જન્સી સેવાના જવાનો દ્વારા બચાવી પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. એન.સી.સી. ના કેડેટ્સ અને જવાનો પણ આ બચાવ કાર્યમાં મચી પડે છે. ઘાયલને પ્રાથમિક…
પાડોશી પ્રેમીને મિલનમાં જ્ઞાતિ અને કિશોરીની ઘટતી ઉંમર ની બાધા આવતા સજોડે કર્યા ઝેરના પારખા Rajkot,તા.31 રાજકોટના ઢેબર કોલોની પાસે ના બગીચામાં ગત સાંજે સાતના સુમારે યુવક અને કિશોરીએ મકોડા મારવાની દવા પી લેતા અર્ધભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સમયસરની સારવારથી બંનેનો જીવ બચી ગયો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પારેવડી ચોક ગીતા એન્ટરપ્રાઇઝ નજીક રહેતા અને રિક્ષામાં સાબુ પાવડર ની ફેરી કરતા આદિવાસી યુવાન ઉત્સવ લાલજીભાઈ વસાવા ૨૫ અને તેના ઘર પાસે જ રહેતી સગીર કિશોરી ને મનમેળ થઈ જતા લગ્નની તૈયારી કરી દીધી હતી પરંતુ પરિવારને આ સંબંધ મંજૂર ન હોય વળી…
પિતાની વારસાઈ નોકરી નાના ભાઈને આપવાનું નક્કી થયૂ ત્યારે લોન વાળું મકાન કલીયર કરાવી દેવાની બોલી થયા બાદ હપ્તા ચૂકાઈ જતા નોટિસ મળી Rajkot,તા.31 રાજકોટમાં સફાઈ કામદાર પરિવારના મકાનની લોનના હપ્તા ચડત થઈ જતા મળેલી નોટિસને લઈ હતાશ થઈ ગયેલા યુવાને ફિનાઈલ ગટગટાવી લેતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બજરંગ વાડી 25 વારીયા ક્વાર્ટર માં રહેતા શુભમ રાજુભાઈ લઠેરા ૨૩ એ ગઈકાલે રાત્રે 9:30 ના સુમારે ફીનાઇલ ગટગટાવી લેતા સિવિલ મેડિસન વોર્ડ ૧૦ માં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સમયસરની સારવારથી તેનો જીવ બચી ગયો હતો. ફિનાઈલ પી લેવાના કારણમાં શુભમ ના પિતા ના…
મોડી સાંજે પેટીયુ રડવા ઉકરડા ફેંદતા શ્રમજીવી યુવાનને દવાખાને જવું પડ્યું Rajkot,તા.31 રાજકોટના શહેરના આજી જીઆઇડીસી નજીક કચરો વીણતા શ્રમજીવી યુવાનને ઉકરડામાંથી નીકળેલા સાપ કરડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આજે જીઆઇડીસી સર્વિસ સ્ટેશન પાસે રહેતા અને કચરો વીણવાનું કામ કરતા પકાભાઈ ધમભાઈ શેખલીયા ૨૧ ગઈકાલે સાંજે 8:00 વાગ્યાના સુમારે કચરો વિરવાનું કામ કરતો હતો ત્યારે કચરાના ઢગલા માંથી ડાબા હાથ ઉપર સાપે દંશ મારતા પરિવારજનોએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ માં લાવતા ઈમરજન્સી મેડિકલ મેડિસનવોર્ડ ૧૦ માં દાખલ કરેલ છે
પેટ્રોલ પંપ માં નોકરી કરનાર યુવાનને મધ્યરાત્રે લોહી લુહાણ હાલતમાં સિવિલમાં ખસેડાયો Rajkot,તા.31 શહેરના ભગવતી પરા માં મોડી રાત્રે ઘર પાસે જાહેરમાં દારૂ મહેફિલ કરનારાઓને ટપારનાર યુવકને ઝઘડો કરી પડખામાં છરી હુંલાવી દેવાના બનાવમાં યુવકને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ભગવતી પરા નંદનવન સોસાયટીમાં રહેતા અસલમ મહેબુબભાઇ બેલીમ૩૬ તેના ઘર પાસે હતો ત્યારે રાત્રે ૧૧ વાગે નંદનવન સોસાયટીમાં જ રહેતા એજાજ ફકીર એ ઝઘડો કરી અસલમ પર હુમલો કરી પડખાના ભાગે છરી હુલાવી દીધી હતી, અસલમને લોહી લુહાણ હાલતમાં સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અસલમ ના રીક્ષા ચાલક પિતા મહેબૂબ…
