- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
Vadodara,તા.28 વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં નશામાં ચૂર હાલતમાં બકવાસ કરતા પાંચ મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા હતા. લક્ષ્મીપુરા વિસ્તારની નવીવસાહત નજીક પોલીસ પેટ્રોલિંગમાં નીકળી તે દરમિયાન ત્યાં બેઠેલા પાંચ જણા બેફામ ઉચ્ચારણો કરતા હતા. જેથી પોલીસને શંકા જતાં તમામને તપાસ્યા હતા. 45 વર્ષની આસપાસની વયના પાંચેય મિત્રો દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવતાં તમામની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલાઓમા નિલેશ ગણપતભાઈ પઢીયાર (વિજયનગર, લક્ષ્મીપુરા), વિનોદ બાબુરાવ સુર્વે (રાજલક્ષ્મી સોસાયટી લક્ષ્મીપુરા), જગદીશ ઉદેસિંહભાઈ ગોહિલ (વિજયનગર,લક્ષ્મીપુરા), અર્જુન ગોરધનભાઈ જાદવ (નવીનગરી વસાહત લક્ષ્મીપુરા મૂળ પેટલાદ)અને રણજીતસિંહ બળવંતસિંહ રાઠોડ (વિજયનગર,લક્ષ્મીપુરા) નો સમાવેશ થાય છે.
New Delhi,તા.28 આજે(28 મે) કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતા, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ રૂ. 2,07,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખેડૂતોને પોષણક્ષમ દરે લોન આપવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, ત્રણ મુખ્ય પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી મળી ગઈ છે. જેમાં આંધ્રપ્રદેશમાં 4-લેન બડવેલ-નેલ્લોર હાઇવે, મહારાષ્ટ્રમાં 135 કિલોમીટર લાંબી વર્ધા-બલ્લારશાહ રેલ્વે લાઇન અને મધ્યપ્રદેશમાં 41 કિલોમીટર લાંબી રતલામ-નાગડા રેલ્વે લાઇન પહોળી કરવાની યોજનાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું…
Gandhinagar,તા.28 આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી કે આ ચૂંટણી કાર્યક્રમમાં ચૂંટણીનું જાહેરનામું 2જી જૂન 2025ના બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 રહેશે. 22 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને મત ગણતરી 25 જૂન 2025ના રોજ થશે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 27 મી મે 2025 ના રોજ કરવામાં આવી હતી અને આજે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આજથી આચારસંહિતા અમલમાં આવશે.કુલ 8326 પંચાયતોમાંથી 4688 પંચાયતોમાં (સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણી) જ્યારે 3638…
Rajkot,તા.28 ઓપરેશન સિંદુર પાર્ટ-2ની તૈયારીના ભાગરૂપે રાજકોટ શહેર-જીલ્લામાં આવતીકાલે તા.29ને ગુરૂવારના સાંજના પાંચથી આઠ કલાક દરમિયાન મોકડ્રીલ આયોજીત કરવામાં આવી છે. જેમાં બ્લેકઆઉટ સહિતની તૈયારીઓ માટે આજે સાંજના કલેકટર કચેરી ખાતે વિવિધ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓની ખાસ બેઠક કલેકટર પ્રભવ જોશી દ્વારા બોલાવવામાં આવી છે. જેમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજય સરકારના મુખ્ય સચિવ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. આવતીકાલે યોજાનારી આ મોકડ્રીલમાં સીવીલ ડીફેન્સની કવાયત કરવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ 22 દિવસ પૂર્વે ગુજરાતના વિવિધ શહેરોમાં મોકડ્રીલ યોજવામાં આવેલ. ત્યારે રાજકોટ શહેર જીલ્લાની બાદબાકી કરવામાં આવી હતી. પરંતુ હવે ઓપરેશન સિંદૂર પાર્ટ-2ની તૈયારીના ભાગરૂપે…
Jam Khambhaliya, તા.28 દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ દરિયાકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે સરકારના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા…
Mumbai, તા.28 આજ રોજ, ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો છે, જે વૈશ્વિક બજારની અસરો અને સ્થાનિક માંગના કારણે ભાવ વધારો થયો છે. આજે રાજકોટ મા સોનામાં રૂ. 300 અને ચાંદીમાં રૂ 700 નો વધારો થયો છે. આજના સોના અને ચાંદીના ભાવ શહેર 24 કેરેટ સોનું (રૂ.10 ગ્રામ) ચાંદી (રૂ./કિગ્રા) અમદાવાદ રૂ.97,480 રૂ. 99,900 સુરત રૂ. 97,480 રૂ.99,900 રાજકોટ રૂ.97,480 રૂ.99,900 નોંધાયો છે. ચાંદીમાં મા રૂ 700 વધતા ભાવ ફરી 1 લાખને પાર પહોંચ્યા છે. આ વધારો મુખ્યત્વે વૈશ્વિક બજારમાંની સ્થિરતા અને સ્થાનિક માંગમાં વૃદ્ધિને કારણે છે. લગ્નની સિઝન દરમિયાન ભાવમાં ઉથલપાથલ સામાન્ય છે, અને નિષ્ણાતો ભવિષ્યમાં પણ…
Dahod,તા.28 દાહોદના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજયના મંત્રી બચુ ખાબડના બન્ને પુત્ર છે. બળવંત અને કિરણ ખાબડને આજે દાહોદ કોર્ટે જામીન આપ્યા છે. દાહોદમાં મનરેગાના કામમાં બોગસ બિલ બનાવીને કાગળ પર કામો દર્શાવીને રૂા.71 કરોડની ઉચાપત જેવા કૌભાંડના સૂત્રધાર તરીકે મંત્રી પુત્રોના નામ ખુલ્યા હતા અને બન્નેની ધરપકડ થઈ હતી. જેમાં આજે જામીન મળ્યા છે. બીજી તરફ પુત્રોના ભ્રષ્ટાચારની અને જેલવાસ છતા પણ હજુ બચુ ખાબડ મંત્રીપદે સલામત છે. જો કે તેઓ આજે કેબીનેટની બેઠકમાં હાજર રહ્યા ન હતા. હાલમાંજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દાહોદ મુલાકાત સમયે પણ તમોને મંચ પર સ્થાન ન હતુ અને કાર્યક્રમમાં પણ ભાગ્યે જ નજરે…
Rajkot, તા. 28 પુરા રાજયની સાથે રાજકોટમાં પણ કોરોના પોઝીટીવના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ગઇકાલે શહેરમાં એક સાથે ચાર કેસ જાહેર થયા બાદ આજે અર્ધો ડઝન કેસ અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાં નોંધાયા છે. જે સાથે 10 દિવસમાં રાજકોટમાં કુલ કેસનો આંકડો 11 પર પહોંચ્યો છે. વોર્ડ નં.10ના સદગુરૂનગરમાં યુવાન અને છ માસના બાળકને સંક્રમણ થયું છે. કોઇ દર્દીને કોઇ પણ પ્રકારની ચિંતા ન હોવા છતાં લોકો ગભરાટ વગર તકેદારી રાખે તેવી અપીલ આરોગ્ય વિભાગે કરી છે. આ કેસમાં બે દર્દી મુંબઇ અને દુબઇથી પરત આવ્યા હતા અને છ પૈકી પાંચે વેકસીન પણ લીધી હોવાનું સર્વેલન્સ કામગીરીમાં મનપાને જાણવા…
Manipur તા.28 મણીપુરમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી એન.બિરેનસિંહે રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યુ હતું. રાજય વિધાનસભાનો કાર્યકાળ 2027 સુધી છે. પણ તે પહેલા જ તે સસ્પેન્ડ કરી દેવાતા મણીપુરમાં સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ પ્રેરિત એનડીએનાં 10 ધારાસભ્યો સરકાર બનાવવા માટે દાવો રજુ કરવા માટે ઈમ્ફાલમાં રાજભવનમાં પહોંચ્યા હતા. ભાજપના 8, એનપીપીના 1, અને 1 અપક્ષ ધારાસભ્યે રાજયમાં સરકાર બનાવવો દાવો રજુ કરવા માટે મણીપુરનાં રાજયપાલ અજયકુમાર ભલ્લાની મુલાકાત લીધી હતી તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે 44 ધારાસભ્યોંનુ સમર્થન છે.
Jaipur,તા.28 પંજાબ કિંગ્સે IPL ની વર્તમાન સિઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ મુખ્ય કોચ રિકી પોન્ટિંગ માને છે કે ટીમે હજુ સુધી કંઈ હાંસલ કર્યું નથી અને એક દાયકાથી વધુ સમયમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થવું હજુ પણ અડધું કામ છે. પંજાબ કિંગ્સે ટોપ-2 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પોન્ટિંગે કહ્યું, ’મને લાગે છે કે તે સ્પષ્ટ છે કે આ ખરેખર પ્રતિભાશાળી ટીમ છે જે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.’ હા, તે અત્યાર સુધીની એક મોટી સિદ્ધિ છે, પરંતુ વાસ્તવમાં, જો તમે ભૂતકાળ પર નજર નાખો તો આપણે હજુ સુધી કંઈ પ્રાપ્ત કર્યું નથી. અમે પ્લેઓફ…
