NCPએ અગાઉ સંકેત આપ્યો હતો કે જો સરકાર તમામ બેઠકોમાં ૫૦% વધારાની લેખિત ખાતરી આપશે તો તેઓ આ વિધેયકને સમર્થન આપવા અંગે વિચાર કરશે
નવી દિલ્હી, તા.૨૨
બુધવારે જ્યારે વિરોધ પક્ષના સાંસદો સંસદની બહાર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરી રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન કાર્યાલયમાં થયેલી એક બેઠકે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી દીધી છે. દ્ગઝ્રઁ (જીઁ)ના પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી તથા સાંસદ સુપ્રિયા સુલેએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં મુલાકાત કરી હતી. બેઠકની તસવીરોમાં અનુભવી મરાઠા નેતા અને વડાપ્રધાન એકબીજા સાથે વાતચીત કરતા અને ખુલ્લા મનથી હસતા જોવા મળ્યા હતા. અન્ય એક તસવીરમાં વડાપ્રધાન વરિષ્ઠ નેતાનું સ્વાગત કરતા અને તેમને પોતાના કાર્યાલયના દરવાજા પર આવકારી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
એક રિપોર્ટ મુજબ આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે સરકાર સંસદમાં પરિસીમન વિધેયક (ડ્ઢીઙ્મૈદ્બૈંટ્ઠર્ૈંહ મ્ૈઙ્મઙ્મ) માટે બે-તૃતીયાંશ બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર હાલના ચોમાસુ સત્ર દરમિયાન આ વિધેયક ફરીથી રજૂ કરવાની યોજના બનાવી રહી છે. સરકારની સંસદીય વ્યૂહરચના માટેNCP (જીઁ)ના ૮ સાંસદો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
NCPએ અગાઉ સંકેત આપ્યો હતો કે જો સરકાર તમામ બેઠકોમાં ૫૦% વધારાની લેખિત ખાતરી આપશે તો તેઓ આ વિધેયકને સમર્થન આપવા અંગે વિચાર કરશે. સુપ્રિયા સુલેએ ગયા અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “બેઠકોમાં ૫૦ ટકા વધારાની શરત લેખિતમાં આપો, પછી અમે ચર્ચા કરીશું.”
એવી અટકળો પણ ચાલી રહી છે કે શરદ પવારની પાર્ટીનો એક જૂથ દ્ગડ્ઢછ સાથે વિલય કરવા માટે દબાણ કરી રહ્યો છે, પરંતુ સૂત્રોએ દ્ગડ્ઢ્ફને જણાવ્યું કે, મ્ત્નઁનું વલણ સ્પષ્ટ છે. શરદ પવારના જૂથનો દ્ગડ્ઢછ સાથે કોઈપણ સત્તાવાર ગઠબંધન ત્યારે જ શક્ય બનશે, જ્યારે NCPના બંને પ્રતિસ્પર્ધી જૂથો ફરી એક થઈ જશે. આ કારણે હવે મહારાષ્ટ્રમાં રાજકીય રીતે ફરી એક થવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેને NCPના બંને જૂથોના નેતાઓ અને સત્તાધારી પક્ષના મહત્વના નેતાઓ વચ્ચેની તાજેતરની મુલાકાતોએ વધુ વેગ આપ્યો છે. મ્ત્નઁના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીનું માનવું છે કે NCP સાથે નજીકના સંબંધો ત્યારે જ બની શકે, જ્યારે બંને જૂથો પોતાના મતભેદો દૂર કરીને એક થઈ જાય. સૂત્રોનું કહેવું છે કે, શરદ પવાર અથવા તેમના નજીકના સાથીઓને વ્યક્તિગત રીતે ગઠબંધનમાં સામેલ કરવામાં પાર્ટીને કોઈ રસ નથી. આ સંદર્ભમાં શરદ પવાર અને વડાપ્રધાન વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય બેઠકના રાજકીય મહત્વને ઓછું આંકી શકાય નહીં. વિરોધ પક્ષના એક મહત્વના સાથી પક્ષના નેતાઓની આ બેઠક એવા દિવસે થઈ છે, જ્યારે વિરોધ પક્ષ સરકાર પર હુમલા વધુ તેજ કરી રહ્યો છે. તેથી આ મુલાકાતના રાજકીય અર્થઘટનો પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

