Author: Vikram Raval

 માથાકૂટ ચાલતી હોવાથી સ્વરક્ષણ માટે હિતેશ ધામેલીયા પાસેથી લાવ્યાની કબુલાત આપતા શોધખોળ Rajkot,તા.28 શહેરના માયાણીનગર મેઈન રોડ પર આવેલા વિશ્વ નગર આવાસ યોજનામા રહેતો નામચીન શખ્સને ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ સાથે ઝડપી લઇ જ્યારે હથિયાર આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગેરકાયદે હથિયારો શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે શહેરના માયાનીનગર વિસ્તારમાં આવેલી વિશ્વ નગર આવાસ યોજના ના ક્વાર્ટર માં રહેતો વિપુલ પ્રવીણ બગથરીયા નામના શખ્સ પાસે હથિયાર હોવાની એ એસ.આઇ ચેતનસિંહ ગોહિલ, હેડ…

Read More

 માતાના ઘરનો સામાન લેવા ગયેલી દીકરીના ઘરમાં પડ્યું “ખાતર ” Rajkot,તા.28  શહેર ગાયકવાડી એપાર્ટમેન્ટમાં બે દિવસ માટે બંધ રહેલા ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે, આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ  ગાયકવાડી શેરી  માં રહેતા  સોનલબેન ઉદયભાઇ ગોરધનભાઈ પીઠડીયા દરજી પરિવાર સાથે જામનગર  રહેતા તેમની માતા ના બંધ ઘરમાંથી સામાન લેવા ગયા હતા તે દરમિયાન ૨૫/૪ ના રોજ ચોરી થઈ હતી.સોનલબેન પરિવાર સાથે ભાવનગર ગયા તે દરમિયાન તેમના પડોશમાં રહેતી મહિલાએ સોનલબેન ને જાણકારી આપી હતી કે તમારા ફ્લેટનો દરવાજો ખુલ્લો છે, સોનલબેને તાત્કાલિક તેમની દેરાણી ને તપાસ કરવાનું કહેતા તપાસ કરતા…

Read More

નિતીન મુછડીયા ને અમદાવાદ  અને આનંદ કાળુ મુછડીયા ને વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યા Rajkot,તા.28 શહેર ના જિલ્લા ગાર્ડન ચોક પાસે નવી ધાચી વાડ વિસ્તારમાં રહેતા નિતીન રવી મુછડીયા અને આનંદ રવિ મુછડીયા સામે પોલીસ કમિશનરે પાસાનું શસ્ત્ર ઉગામી બંને ભાઈઓને વડોદરા અને અમદાવાદ જેલમાં ધકેલતા ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં અવારનવાર શરીર સંબધી ગુન્હા કરતા માથાભારે શખ્સ ને ભવિષ્યમાં ગુન્હા કરતા અટકાય જે સંબધે શખ્સો  વિરૂધ્ધ પાસા ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે સંબધે પોકેટ કોપ તથા ઈ.ગુજકોપ માં ગુન્હાહીત ઇતિહાસ ચેક કરી શરીર સંબધી ગુન્હા કરવાની ટેવવાળા ઇસમ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી…

Read More

યુવકના મોતથી પરિવારમાં અરેરાટી, કારણ અકબંધ Rajkot,તા.28 શહેરના ભક્તિનગર પોલીસ મથક ની હદમાં આવેલ આનંદનગર ૩૦૮ માં રહેતા ગઢવી યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.અંગે પ્રાપ્ત વિગતો મુજબ આનંદ નગર ક્વોટર માં રહેતા કરણભાઈ હિતેશભાઈ ગઢવી 22 વર્ષીય યુવાનેએ ઘરમાં જ ઝેરી દવા પી લેતા પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સવાર માટે મેડીકેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં જેનું  મોડી રાતે તેનું મૃત્યું હતું.આ બનાવની જાણ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ જે જે ગોહિલ સહિત સ્ટાફ દોડી ગયા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા…

Read More

 રોઝડું  કાર સાથે અથડાતા ગાડી ટોટલ લોસ થઈ જતા વીમા કંપનીએ મિસ રિપ્રેઝન્ટેશનનું બહાનું કાઢી ક્લેઇમ નકારી દીધેલો Rajkot,તા.28 વીમા કંપનીએ મર્સિડિઝ કારને અકસ્માતમાં થયેલ નુકસાન અંગેનો ક્લેઇમ મિસ રિપ્રેઝન્ટેશનનું બહાનું કાઢી નકારી દીધેલા ક્લેઇમ અંગેની ફરિયાદમાં ગ્રાહક કોર્ટે રૂપિયા ૧૭.૫૦ લાખ વળતર છ ટકા વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત દંડનો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ, ગત.તા.૨૦- ૦૬- ૨૦૨૩ના રોજ ઘેલા સોમનાથથી જસદણ પરત ફરી રહેલા અશોકભાઈ રાઠોડની મર્સિડિઝ કારને કાળાસર ગામ પાસે જંગલી રોઝડું આડું આવતા અશોકભાઈ રાઠોડે કાર પરનો કાબુ ગુમાવતા પુલની દિવાલ સાથે મર્સિડિઝ કાર અથડાયેલ અને ગાડી ટોટલ લોસ થઈ જતા તેમની મર્સિડિઝ કારની વીમા કંપની…

Read More

પોલીસે પીછો કરી કાર ચાલકને ઝડપી લીધો,પાનની કેબિનમાં નુકસાન, બે ઘાયલ Rajkot,તા.28 શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની હતી. રાત્રિના ન્યારી ડેમના પાટિયા પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી કાર ડિવાઈડર તોડી સામેથી આવી રહેલા ઝોમેટોના ડિલિવરી બોયના બાઇક સહિત હડફેટે લીધો હતો. અહીં પાનની કેબીને ઉભેલા અન્ય એક યુવાનને પણ હડફેટે લીધો હતો જેથી નાસભાગ મચી જવા પામી હતી.અકસ્માત બાદ કારચાલકે વાહન હંકારી મૂક્યું હતું. દરમિયાન તાલુકા પોલીસે તેનો પીછો કરી સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીકથી અકસ્માત સર્જનાર આ કારચાલકને ઝડપી લીધો હતો.અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે તાલુકા પોલીસે કારચાલક…

Read More

Canada,તા.૨૮ કેનેડાના વાનકુવર શહેરમાં એક ઉત્સવ દરમિયાન એક ઝડપી કારે ભીડમાં રહેલા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટના રાત્રે ૮ વાગ્યે (સ્થાનિક સમય) બની હતી. શહેરના ફ્રેઝર પર સૂર્યાસ્ત સમયે મોટી સંખ્યામાં ફિલિપિનો સમુદાયના સભ્યો લાપુ લાપુ દિવસની ઉજવણી માટે એકઠા થયા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લઈ લીધો છે. “૪૧મા એવન્યુ અને ફ્રેઝર ખાતે સ્ટ્રીટ ફેસ્ટિવલમાં એક કાર ચાલકે ભીડ પર કાર ચડાવી દેતાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ડ્રાઈવર કસ્ટડીમાં છે.…

Read More

Islamabad,તા.૨૮ ૨૨ એપ્રિલના રોજ, કાશ્મીરના પહેલગામમાં, આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ અને નિઃશસ્ત્ર પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી. આ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો સીધો હાથ છે, ત્યારબાદ ભારત સરકારે પાડોશી દેશની આ કાર્યવાહી સામે ઘણા કડક નિર્ણયો લીધા છે. ભારતના નિર્ણયોથી હતાશ પાકિસ્તાન પણ પોતાની શ્રેષ્ઠ ક્ષમતાથી ભારત વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાન સાથેની અટારી સરહદ બંધ કરી દીધી છે. બંને દેશોને જોડતી આ મુખ્ય રોડ બોર્ડર બંધ થવાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર પણ બંધ થઈ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મોટાભાગનો વેપાર પંજાબના અમૃતસરમાં સ્થિત અટારી બોર્ડર દ્વારા થાય છે. ભારતે…

Read More

Washington,તા.૨૮ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ભારતીય ડાયસ્પોરા સમુદાયના સભ્યોએ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોની યાદમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધીઓ કાશ્મીરમાં માર્યા ગયેલા સમલૈંગિક હિન્દુઓના ફોટા પોતાની સાથે લાવ્યા હતા. કેટલાક લોકોના હાથમાં પોસ્ટર પણ હતા, જેના પર લખ્યું હતું કે, કાશ્મીરી હિન્દુઓને નિશાન બનાવવાનું બંધ કરો. આ ઉપરાંત આતંકવાદનો વિરોધ કરતા પોસ્ટરો પણ હતા.ઘણા વિરોધીઓ ભારતીય ધ્વજ લઈને આવ્યા હતા. તે જ સમયે, કેટલાક વિરોધીઓ અમેરિકન ધ્વજ લઈને ઉભા હતા. આ સમય દરમિયાન, એક કાશ્મીરી પંડિતે પોતાનું દર્દ રજૂ કર્યું. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના પરિવારને ધર્મના કારણે મારી નાખવામાં આવ્યો. કાશ્મીરી પંડિત સ્વપ્ના રૈનાએ કહ્યું, “હું અહીં આવી છું…

Read More

Chinaતા.૨૮ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ૨૬ લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ જોવા મળી શકે છે. આવા સમયે, આ તણાવ વચ્ચે, ચીનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે વાત કરી છે. ચાલો જાણીએ કે આ સમગ્ર મુદ્દા પર ચીને શું કહ્યું છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે તેમના સમકક્ષ ઈશાક ડાર સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જમ્મુ અને કાશ્મીરના…

Read More