Author: Vikram Raval

New Delhi,તા.૨૮ આગામી થોડા દિવસોમાં, ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન વધશે, જ્યારે મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં તાપમાન સતત વધી રહ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તાપમાન સ્થિર થશે અને ત્યારબાદ તેમાં વધારો થશે. ભારતના ઉત્તર અને મધ્ય પ્રદેશોમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની ધારણા છે. પશ્ચિમ અને દક્ષિણના કેટલાક વિસ્તારોમાં ગરમી અને ભેજ યથાવત રહેશે. દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ૨૪ કલાકમાં તાપમાન વધ્યું છે, આકાશ સ્વચ્છ રહ્યું છે અને પવન મધ્યમ સ્તરે ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન, દિલ્હી/દ્ગઝ્રઇમાં લઘુત્તમ તાપમાનમાં ૦૩-૦૬ ડિગ્રી સેલ્સિયસ અને…

Read More

Mumbai,તા.૨૮ એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના પરભણીમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું, ’પાકિસ્તાન હંમેશા પરમાણુ શક્તિ હોવાની વાત કરે છે.’ તેમણે યાદ રાખવું જોઈએ કે જો તેઓ કોઈપણ દેશમાં ઘૂસીને નિર્દોષ લોકોને મારી નાખે છે, તો તે દેશ ચૂપ નહીં રહે. કોઈ પણ સરકાર સત્તામાં હોય, આપણી ભૂમિ પર આપણા લોકોને મારીને અને ધર્મના આધારે તેમને નિશાન બનાવીને તમે કયા ’દીન’ની વાત કરી રહ્યા છો? પાકિસ્તાન પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું, ’તમે આઇએસઆઇએસ જેવું કામ કર્યું છે.’ હું પ્રધાનમંત્રીને કહેવા માંગુ છું કે જો કાશ્મીર આપણો અભિન્ન ભાગ છે, તો કાશ્મીરીઓ પણ આપણો અભિન્ન ભાગ છે. આપણે…

Read More

Pratapgarhતા.૨૮ યુપીના મજબૂત નેતા અને કુંડાના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ’રાજા ભૈયા’ના બંને પુત્રોએ પણ હવે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. રાજા ભૈયાના પિતરાઈ ભાઈ અક્ષય પ્રતાપ સિંહની હાજરીમાં, તેમના પુત્રો શિવરાજ પ્રતાપ સિંહ અને બ્રિજરાજ પ્રતાપ સિંહે જનસત્તા દળ (લોકશાહી)નું સભ્યપદ લીધું. કુંડાના લોકો પ્રેમથી શિવરાજ પ્રતાપ સિંહને બડા રાજા અને બ્રિજરાજ પ્રતાપ સિંહને છોટે રાજા કહે છે. ભદ્રી રાજ્યના રાજકુમાર રાજા ભૈયા, તેમના પરિવારમાં રાજકારણમાં પ્રવેશનારા પહેલા વ્યક્તિ હતા. રાજા ભૈયાના દાદા બજરંગ બહાદુર સિંહ અને પિતા ઉદય પ્રતાપ સિંહ રાજકારણ અને સમાજસેવામાં સક્રિય હતા, પરંતુ તેમણે ક્યારેય ચૂંટણી લડી ન હતી. હવે રાજા ભૈયાએ તેમના બંને પુત્રોને રાજકારણમાં…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૪.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૨૧૨ સામે ૭૯૩૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૩૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૨૧૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૩૯ સામે ૨૪૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૧૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૩ પોઈન્ટના ઉછાળા…

Read More

સોનાના વાયદામાં રૂ.516, ચાંદીના વાયદામાં રૂ.309 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.40ની નરમાઈ કોમોડિટી વાયદાઓમાં રૂ.14984.82 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.72626.09 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12872.93 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21789 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.87611.5 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14984.82 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.72626.09 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21789 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.764.16 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12872.93 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું…

Read More

જિલ્લા પોલીસવડાને લતાવાસીઓ દ્વારા અપાયું આવેદન પત્ર Rajkot,તા.28 મેટોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શ્રીનાથજી સોસાયટી માં રહેતા નિવૃત્ત આર્મી મેન રાજાભાઈ બાવનજીભાઈ રાઠોડના   ઘર પાસે રહેતા યાગ્નિક ભાઈ ના ઘરે પુત્રના જન્મદિવસે ડીજે વગાડતા આથી ડીજે વગાડનાર પરિવારને નિવૃત્ત આર્મી મેન રાજાભાઈ બાવનજીભાઈ રાઠોડ ઠપકો આપતા તેમના ઘર પર હુમલો અને રાજાભાઈ રાઠોડ ને ઇજાગ્રસ્ત કર્યાના બનાવવામાં શ્રીનાથજી પાર્ક સોસાયટીના નાગરિકોએ સાથે મળી રાજકોટ ગ્રામ્ય એસ.પી હિમકર સિંહ ને આવેદનપત્ર પાઠવી નિવૃત્ત આર્મીમેન રાજાભાઈ બાવનજીભાઈ રાઠોડ ના ઘર પર હુમલો કરનારાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Read More

 બે ઠગાઈ સહીત કુલ છ ગુનાનો ભેદ ઉકેલાયો  : રૂ. 39 હજારનો મુદ્દામાલ કબ્જે કરતી એલસીબી ઝોન-2 Rajkot,તા.28 શહેર એલસીબી ઝોન-2 ટીમે મોબાઈલમાં વાત કરવાનું કહી મોબાઈલ મેળવી નાસી જતાં ભેજાબાજ ઠગની ધરપકડ કરી છે. પોલીસે અમરેલીના જય દુધાતને ઝડપી ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલ ઠગાઈનો ગુનો તેમજ અન્ય પાંચ વણનોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. રાજકોટ શહેર વિસ્તારમાં ઘરફોર ચોરી, વાહન ચોરી તેમજ રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી રોકડ સહિતની મત્તા ઉઠાવી જતી ગેંગને પકડી પાડવ   ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે એક બ્રાઉન કલરનો લેધરનો થેલો લઈને ઊભેલ છે. જેની પાસે થેલામાં ચોરીથી મેળવેલા મોબાઈલ હાજર હોય તેવી હકીકતના આધારે એલસીબી ટીમ…

Read More

સ્કોર્પિયોમા આવેલા શખ્સો પોલીસની ઓળખ આપી સુરેશ મકવાણાને ઉઠાવી ગયા’તા ક્રાઇમ બ્રાન્ચે થરાદ પોલીસની મદદથી નાકાબંદી કરી ભારતમાલા હાઇવે પરથી અપહરણકર્તાઓને પકડી અપહ્યતને મુક્ત કરાવ્યો હરિયાણાના દારૂના ધંધાર્થી પાસેથી શરાબ મંગાવી સુરેશે ફોન સ્વીચ ઓફ કરી નાખતા વિફરેલી ટોળકી રાજકોટ ધસી આવી’તી Rajkot,તા.28 શહેરના થોરાળા વિસ્તારમાંથી સ્કોર્પિયો કારમાં આવેલી ટોળકી બુટલેગરનું અપહરણ કરી ગયાનો બનાવ સામે આવ્યો હતો.રાજકોટના બુટલેગરે હરિયાણાના દારૂના ધંધાર્થી પાસેથી મંગાવેલ દારૂના રૂપીયા આપવા ન પડે તે માટે વેપારીનો મોબાઈલ નંબર બ્લોક કરી નાંખતા યુવાનનું સ્કોર્પિયો કારમાં પોલીસની ઓળખ આપી અપહરણ થયું હતું. જો કે, રાજકોટ પોલીસની સતર્કતા અને થરાદ પોલીસે કરેલ નાકાબંધીથી અપહ્યત યુવાનનો છુટકારો થયો…

Read More

રૂ. 15.81 લાખના બિસ્કિટ લઇ કલાકમાં આરટીજીએસ કરી દઈશ કહી ભૂગર્ભમાં ઉતરી ગયો Rajkot શહેરના સોની બજારમાં દુકાન ધરાવતા વ્હોરા વેપારી પાસેથી બે સોનાના બિસ્કીટ લઈ ગઠિયો ફરાર થઈ જતાં રૂ.15.82 લાખની છેતરપીંડીની ફરિયાદ એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. વેપારીની ઘરની બાજુમાં રહેતો યુસુફ કપાસીએ મોટા વેપારીની ઓળખ આપી, બાદમાં 100 ગ્રામના બિસ્કીટ લઈ એક કલાકમાં પેમેન્ટ આરટીજીએસ કરાવું છું કહીં ફોન બંધ કરી દિધો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પર રણછોડનગર શેરીમાં રહેતા હુશેનભાઇ સુલેમાનભાઈ જરીવાલા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યુસુફ જાકીર કપાસી (રહે. ડ્રિમ હોમ એપાર્ટમેન્ટ, રણછોડનગર શેરી નં.16/4 નો ખૂણો) નું નામ આપતાં એ. ડિવિઝન…

Read More

ભગવતીપરા, રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી બાંગ્લાદેશી મહિલા-પુરુષોને પકડી લેવાયા Rajkot શહેર પોલીસે રાજકોટમાં ગેરકાયદે રહેતા કુલ 13 બાંગ્લાદેશીઓને ઝડપી લીધા છે. શુક્રવારે મોડી રાતથી એસઓજી, ડીસીબી, પીસીબી અને ઈઓડબ્લ્યુ સહીતની બ્રાન્ચોએ સ્થાનિક પોલીસને સાથે રાખી ભગવતીપરા, ગાંધીગ્રામ, રામનાથપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા અગાઉ 10 બાંગ્લાદેશીઓ મળી આવ્યા બાદ વધુ ત્રણને પકડી લેતા હાલ સુધી શહેરમાંથી કુલ 13 બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયાનું સામે આવ્યું છે. શહેરના તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, ઈઓડબ્લ્યુ, એલસીબી દ્વારા તપાસ કરી 800થી વધુ લોકોને સર્ચ કરવામાં આવ્યા હતા. જેમાં 10 લોકો ગેરકાયદે રીતે બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી ગુજરાતમાં…

Read More