- Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
- Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
- ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
- Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે
- Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે
- વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા
- ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી
- New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
Author: Shri Nutan Saurashtra
ગયા વષના સમાન મહિનાની સરખામણીએ સરખામણીએ ૮.૮% વધુ : ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરાયા New Delhi, તા.૧ દુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. માર્ચ ૨૦૨૬માં દેશનું GST કલેક્શન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. સરકારી આંકડા મુજબ, નેટ GST કલેક્શન વધીને ૨ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે ગત ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ ૮.૨ ટકા વધુ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં વેપાર અને વપરાશ બંનેમાં મજબૂતી જળવાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ કલેક્શનમાં આ વધારો આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત આપે છે. તેમજ જો ગ્રોસ GST કલેક્શનની વાત કરીએ તો માર્ચમાં…
New Delhi, તા. ૧ ૨૦૨૭ ની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો બુધવાર (૧ એપ્રિલ) થી શરૂ થવાનો છે, જે વિશ્વની સૌથી મોટી ગણતરી કવાયત અને ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ ગણતરીની શરૂઆત છે. આ દેશની ૧૬મી વસ્તી ગણતરી અને સ્વતંત્રતા પછી આઠમી વસ્તી ગણતરી હશે. પ્રથમ વખત, નાગરિકો પાસે સ્વ-ગણતરીનો વિકલ્પ પણ હશે. દરમિયાન, કેન્દ્રએ શરૂઆતના તબક્કા માટે ૩૩ પ્રશ્નો પણ બહાર પાડ્યા છે, જેને હાઉસિંગ લિસ્ટિંગ અને હાઉસિંગ ઓપરેશન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવેલા સમયપત્રક અનુસાર ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવશે. નાગરિકો તેમના સંબંધિત ક્ષેત્રમાં ફિલ્ડવર્ક શરૂ કરતા પહેલા…
Gandhinagar,તા.૧ રાજ્ય સરકારે ૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા-૧૯૪૭’માં મોટા સુધારા કર્યા છે. હવે સમગ્ર રાજ્યમાં ગ્રામીણ જમીન માટે લઘુત્તમ ૧૦ ગુંઠાનો સમાન નિયમ લાગુ થશે. રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર ૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા-૧૯૪૭’માં ધરખમ સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ રાજ્યમાં નવા સુધારાઓ લાગુ પડશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ઐતિહાસિક વટહુકમ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારે ઉદારતા દાખવીને નિર્ણય કર્યો છે કે, વર્ષ ૧૯૪૮થી નવા કાયદાના અમલ સુધીમાં, જે કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૪૯૫૫૧ મતદાન મથકો હશે. જેમાંથી ૧૧૦૦૦ મતદાન મથકો સંવેદનશિલ છે. Gandhinagar,તા.૧ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડો. એસ. મુરલીક્રિશ્ના દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૬ એપ્રિલ, રવિવારે મતદાન થશે. જ્યારે ૨૮ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૪ કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. મહાનગર પાલિકાઓમાં ૧.૧૦ કરોડ મતદારો છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં ૩૩ લાખ મતદારો છે. ગુજરાતમાં કુલ…
તા.02-04-2026 ગુરુવાર તિથિ પૂર્ણિમા (પૂનમ) – ૦૭ઃ૪૪ઃ૧૩ સુધી નક્ષત્ર હસ્ત – ૧૭ઃ૩૯ઃ૧૭ સુધી કરણ ભાવ – ૦૭ઃ૪૪ઃ૧૩ સુધી, બાલવ – ૨૦ઃ૧૧ઃ૩૦ સુધી પક્ષ શુક્લ યોગ ધ્રુવ – ૧૪ઃ૧૮ઃ૩૧ સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૩૧ઃ૪૮ સૂર્યાસ્ત ૧૮ઃ૫૫ઃ૨૩ ચંદ્ર રાશિ કન્યા – ૩૦ઃ૨૯ઃ૧૬ સુધી ચંદ્રોદય ૧૯ઃ૧૫ઃ૫૯ ચંદ્રાસ્ત ચંદ્રાસ્ત નહીં ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૯ મહિનો પૂર્ણિમાંત ચૈત્ર મહિનો અમાંત ચૈત્ર દિન કાળ ૧૨ઃ૨૩ઃ૩૫ અશુભ સમય દુર મુહુર્ત ૧૦ઃ૩૯ઃ૪૦ થી ૧૧ઃ૨૯ઃ૧૪ ના, ૧૫ઃ૩૭ઃ૦૬ થી ૧૬ઃ૨૬ઃ૪૦ ના કુલિક ૧૦ઃ૩૯ઃ૪૦ થી ૧૧ઃ૨૯ઃ૧૪ ના દુરી / મરણ ૧૫ઃ૩૭ઃ૦૬ થી…
તા.02-04-2026 ગુરુવાર મેષ તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમને એકલવાયું લાગે ત્યારે તમારા પરિવારની મદદ લો. એ તમને હતાશાથી બચાવશે. વળી, એ તમને સમજદારીભર્યા નિર્ણયો લેવામાં પણ મદદ કરશે. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે. તમારો ખરાબ મિજાજ તમારા…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૪.૨૦૨૬ ના રોજ… ગત મંદી બાદ મજબૂત રિકવરી, ડીઆઈઆઈ ખરીદી, શોર્ટ કવરિંગ અને સકારાત્મક ગ્લોબલ સંકેતો વચ્ચે બજારમાં “રિસ્ક ઓન” વલણ મજબૂત થયું હતું.શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઘટાડા બાદ આજે રોકાણકારો માટે ‘સુપર વેડનસડે’ સાબિત થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામના ઈરાદાની જાહેરાત બાદ બજારમાં તેજીનું તોફાન આવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ આજે લીલા નિશાનમાં અને ભારે મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યા છે.આજના આ ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે. ખાસ કરીને બેંકિંગ, આઈટી અને રિલાયન્સ જેવા હેવીવેઈટ શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે. ૩૦માર્ચના ‘બ્લેક મન્ડે’…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.293નો ઘટાડોઃ સોનાના વાયદામાં રૂ.2281 અને ચાંદીના વાયદામાં રૂ.839ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.31081.69 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88450.98 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19448.07 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36505 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.119533.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31081.69 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.88450.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36505 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3110.37 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં…
Jammu and Kashmir તા.1 જિલ્લાના અરહામા જંગ વિસ્તારમાં મંગળવારે મોડી સાંજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અનેક કલાકોની ભીષણ અથડામણ બાદ સુરક્ષા દળોએ એક આતંકીઓને ઠાર કરી દીધો હતો. મંગળવારે સાંજે વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળતા સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં તલાશી અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન સુરક્ષાદળો અને આતંકીઓ સામ-સામા આવી ગયા હતા. સુરક્ષાદળોએ આતંકીઓને લલકાર્યા હતા. જેના જવાબમાં આતંકીઓએ જવાનો પર ફાયરીંગ કર્યું હતું અને ભાગવાની કોશિશ કરી હતી. દરમિયાન સુરક્ષાદળોના ફાયરીંગમાં એક આતંકી ઠાર થયો હતો. આ ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ગાંદરબલ અને સેનાજી 2 આસામ રાયફલ્સમાં જવાનોએ પાર પાડયું હતું.
New Delhi, તા.1 નવા નાણાંકીય વર્ષમાં આરબીઆઇએ લોન અને બેન્કીંગ સિસ્ટમમાં અનેક જરૂરી ફેરફાર લાગુ કર્યા છે. જે અંતર્ગત હવે સમય પહેલા લોન ચુકવનારા ગ્રાહકોને કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો નહીં પડે. આ જોગવાઇ 1-જાન્યુઆરી-2026થી સ્વીકૃત કે રિન્યુ કરવામાં આવેલ ફ્લોટીંગ દરવાળી લોન પર લાગુ થશે. તેમાં આવાસ, વાહન, વ્યક્તિગત અને શિક્ષણ લોન સામેલ છે. અત્યાર સુધી બેન્ક અને નાણાંકીય સંસ્થાન સમયથી પહેલા લોન ચૂકવવા પર કુલ બાકી રકમના 2 થી 5 ટકા દંડ લગાવતા હતા. દાખલા તરીકે જો કોઇ ગ્રાહકની 10 લાખ રૂપિયાની લોન બાકી છે અને તે તેને લમ્પસમ પેમેન્ટથી જલદી ચૂકવવા માંગે છે. તો પાંચ ટકાના હિસાબે…
