New Delhi, તા.૧૦
પાકિસ્તાનને વહેલી સવારે કરેલા હુમલા બાદ ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાને નાગરિકોને કેવી રીતે નિશાન બનાવ્યા અને તેમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો. સાથે જ આર્મીએ કહ્યું કે, પાકિસ્તાનના હુમલામાં ભુજ એરબેઝ, ઉમધપુર અને પઠાણકોટ એરબેઝને નુકસાન પહોંચ્યું છે.
પાકિસ્તાન સાથેના તણાવ અંગે વિદેશ મંત્રાલયે સતત ચોથા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી. ૮-૯ મેની રાત્રે પાકિસ્તાને લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાને પણ ર્ન્ઝ્ર પર ભારે ગોળીબાર કર્યો. કર્નલ સોફિયા કુરેશીના મતે, પાકિસ્તાને નાગરિક વિમાનનો ઉપયોગ ખોટી રીતે કર્યો હતો. તેઓ હવાઈ માર્ગોનો દુરુપયોગ કરી રહ્યા છે. વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે પાકિસ્તાનના નાગરિકો ત્યાંની સરકારની ટીકા કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં ભારતીય મિસાઇલ અંગે પાકિસ્તાનનો દાવો પાયાવિહોણો છે. ભારતના બધા એરબેઝ સુરક્ષિત છે. પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. ’પાકિસ્તાન અફઘાન લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે’ ’પાકિસ્તાનના ઇરાદા સારા નથી’ જમ્મુ કાશ્મીર અને પંજાબના નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પ્રિન્સ થાપાનું અવસાન થયું છે. પાકિસ્તાનનો જી૪૦૦ તોડી પાડવાનો અને ભારતના પાવર સિસ્ટમને નુકસાન પહોંચાડવાનો દાવો ખોટો છે. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને ભારતીય સેનાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. પહેલી વાર ફાઇટર પ્લેનનો ઉપયોગ થયો. ભારતે હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.