Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી

    May 12, 2025

    Wankaner ના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે મોપેડ ચાલક સગીર સહીત બેના મોત

    May 12, 2025

    Wankaner ના વૃદ્ધે વોટ્સએપમાં આવેલી લીંક ઓપન કરી અને બેંક ખાતામાંથી ૭૭ હજાર ગાયબ

    May 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી
    • Wankaner ના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે મોપેડ ચાલક સગીર સહીત બેના મોત
    • Wankaner ના વૃદ્ધે વોટ્સએપમાં આવેલી લીંક ઓપન કરી અને બેંક ખાતામાંથી ૭૭ હજાર ગાયબ
    • Morbi ના પોલીસકર્મીને સાથે ૯.૫૧ લાખની છેતરપીંડી
    • E paper Dt 11-05-2025
    • Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા
    • Rajkot માં લગ્નની લાલચ આપી ત્યકતાનું યૌન શોષણ કર્યું
    • Rajkot મા કમિશન એજન્ટોને રૂ.17.19 કરોડનો ચૂનો ચોપડનાર ઢોલરીયા બંધુ રાજસ્થાનથી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»બોલીવુડ એક્ટર Manoj Kumar નું ૮૭ વર્ષની ઉંમરે નિધન
    મુખ્ય સમાચાર

    બોલીવુડ એક્ટર Manoj Kumar નું ૮૭ વર્ષની ઉંમરે નિધન

    Vikram RavalBy Vikram RavalApril 4, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

    Mumbai,તા.૪

    પોતાના જમાનાના સુપરસ્ટાર અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજકુમારનું ૮૭ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજકુમાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. મનોજકુમાર તેની દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા અને તેમને ભારત કુમાર નામથી ખાસ ઓળખ મળી હતી.  મનોજકુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગીરી ગોસ્વામી હતું. ૨૪ જુલાઈ ૧૯૩૭ ના રોજ જન્મેલા મનોજકુમાર દિલીપકુમારને આદર્શ માનતા હતા. જ્યારે ભારતીય સિનેમામાં ફેરફાર થઈ રહ્યો હતો ત્યારે મનોજકુમાર એ તેના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. મનોજકુમારએ તેની ફિલ્મો દ્વારા દેશભક્તિ અને સામાજિક ચેતનાને જીવંત કરી હતી.

    મનોજકુમાર એ તેના અભિનય કરિયરની શરૂઆત ૧૯૫૭માં આવેલી ફિલ્મ ફેશનથી કરી હતી. પરંતુ તેમના કરિયરમાં યુ ટર્ન ૧૯૬૫ માં આવેલી શહિદ ફિલ્મ થી આવ્યો. આ ફિલ્મથી તેમને નવી ઓળખ મળી અને તે સુપરસ્ટાર બનવા તરફ આગળ વધી ગયા. ત્યાર પછી તેમણે એક પછી એક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું. મનોજકુમારની ફિલ્મ ઉપકારનું ગીત મેરે દેશ કી ધરતી સોના ઉગલે આજે પણ દેશભક્તિની ભાવના જગાવનાર ગીત તરીકે સાંભળવા મળે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને સાથે જ તેના ગીત પણ સુપરહિટ રહ્યા હતા.

    ભારતીય સિનેમામાં તેમના અપાર યોગદાન માટે બોલિવૂડ હંમેશા તેમને યાદ રાખશે. પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા મનોજ કુમારનું નિધન ભારતીય સિનેમા માટે એક મોટું નુકસાન છે. મનોજ કુમારે આજે સવારે ૩ઃ૩૦ વાગ્યે ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટે આ માહિતી આપી છે.મનોજ કુમારના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે ૯ વાગ્યે પવન હંસ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.

    મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ ૧૯૯૨માં પદ્મશ્રી અને ૨૦૧૫માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમની દેશભક્તિની ફિલ્મો ઉપરાંત, તેઓ ’હરિયાલી ઔર રાસ્તા’, ’હૂ હતી’, ’હિમાલય કી ગોડ મેં’, ’દો બદન’, ’પત્થર કે સનમ’, ’નીલ કમલ’ અને ’ક્રાંતિ’ જેવી ઘણી  મહાન ફિલ્મોમાં અભિનય કરતા  જોવા  મળ્યા  હતા.

    મનોજ કુમાર માત્ર એક અભિનેતા અને દિગ્દર્શક જ નહોતા, પરંતુ તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પટકથા લેખક, ગીતકાર અને સંપાદક તરીકે પણ પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે અને સ્ટાર્સ સતત પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે. મનોજ કુમારના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે ૯ વાગ્યે પવન હંસ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.

    ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકો આ પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કહ્યું, ’મહાન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા, આપણા પ્રેરણા અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના ’સિંહ’ મનોજ કુમાર જી હવે રહ્યા નથી… આ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે અને સમગ્ર ઉદ્યોગ તેમની ખોટ અનુભવશે.’ તેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમણે કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અમને મનોજજીની યાદ આવશે, અમે તેમને ઘણી વાર મળતા હતા, તેઓ એક ખુશખુશાલ વ્યક્તિ હતા જે નવી ઉર્જાથી ભરેલા હતા. આખી ઇન્ડસ્ટ્રી તેમની ખોટ સાલશે. હવે ઇન્ડસ્ટ્રીમાં તેમના જેવો કોઈ અભિનેતા અને દિગ્દર્શક નથી.

    આનંદ મહિન્દ્રાએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને પોતાની પોસ્ટમાં લખ્યું, ’મને એવું લાગે છે કે મેં મારા બાળપણનો એક મહત્વપૂર્ણ ભાગ ગુમાવ્યો છે.’ મારા પરિવારે મનોજ કુમારની એક પણ ફિલ્મ ચૂકી નથી. અને મને યાદ છે કે જ્યારે ફિલ્મ “પૂર્વ ઔર પશ્ચિમ” રિલીઝ થઈ હતી, ત્યારે ફિલ્મે જે દેશભક્તિની ભાવના જગાડી હતી તે અભૂતપૂર્વ હતી. મનોજ કુમાર એક અભિનેતાથી દરેક પરિવારના સભ્ય બન્યા. આજે હું પરિવારના એક સભ્યના અવસાન પર શોક વ્યક્ત કરું છું. ઓમ શાંતિ’

    ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે પણ મનોજને યાદ કર્યા અને લખ્યું, ’એક યુગનો અંત.. મનોજ કુમાર સાહેબનું અવસાન.. એક અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે, તેઓ અસંખ્ય યાદગાર અને પ્રતિષ્ઠિત ફિલ્મોનો અભિન્ન ભાગ હતા.. ઓમ શાંતિ.’ મને મનોજ કુમાર સાહેબ સાથે ઘણી વાર વાત કરવાનો લહાવો મળ્યો, જે કિંમતી યાદો હું હંમેશા માટે સાચવી રાખીશ. દિગ્દર્શક મધુર ભંડારકરે પોતાની પોસ્ટમાં લખ્યું, ’મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમાર સરના નિધનથી હું દુઃખી છું. મને ઘણી વખત તેમની સાથે વાતચીત કરવાનો લહાવો મળ્યો અને તેઓ  ખરેખર ભારતીય સિનેમાના  એક  પ્રતિક હતા. તેમની વાર્તાઓ અને ફિલ્મોમાં તેમના ગીતોનું ફિલ્માંકન રાષ્ટ્રીય ગૌરવને પ્રેરિત કરે છે અને પેઢી દર પેઢી ગુંજતું રહેશે. તેમના પરિવારના સભ્યો અને ચાહકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.

    Bollywood actor Manoj Kumar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Pakistanને યુદ્ધ વિરામ કર્યાનાં 4 જ કલાકમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું,જમ્મુ કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા

    May 10, 2025
    મુખ્ય સમાચાર

    ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા સંબંધિત હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી

    May 10, 2025
    મનોરંજન

    ભારત-પાકિસ્તાન યુદ્ધે Janhvi Kapoor ની ચિંતા વધારી, સૈનિકોને સલામ કરી

    May 10, 2025
    મનોરંજન

    ફિલ્મ ’ઓપરેશન સિંદૂર’નું પોસ્ટર રિલીઝ થયું, યુઝર્સ ગુસ્સે થયા અને નિર્માતાએ કહ્યું માફ કરશો

    May 10, 2025
    અન્ય રાજ્યો

    Siddhivinayak Temple માં સુરક્ષાના કારણસર નારિયેળ-હાર અને પ્રસાદ પર રોક લગાવાઈ

    May 10, 2025
    રાષ્ટ્રીય

    પાકિસ્તાનના હુમલામાં Bhuj Airbase ને થયું નુકસાન

    May 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી

    May 12, 2025

    Wankaner ના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે મોપેડ ચાલક સગીર સહીત બેના મોત

    May 12, 2025

    Wankaner ના વૃદ્ધે વોટ્સએપમાં આવેલી લીંક ઓપન કરી અને બેંક ખાતામાંથી ૭૭ હજાર ગાયબ

    May 12, 2025

    Morbi ના પોલીસકર્મીને સાથે ૯.૫૧ લાખની છેતરપીંડી

    May 12, 2025

    E paper Dt 11-05-2025

    May 11, 2025

    Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

    May 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી

    May 12, 2025

    Wankaner ના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે મોપેડ ચાલક સગીર સહીત બેના મોત

    May 12, 2025

    Wankaner ના વૃદ્ધે વોટ્સએપમાં આવેલી લીંક ઓપન કરી અને બેંક ખાતામાંથી ૭૭ હજાર ગાયબ

    May 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.