Rajkot તા.૨૯
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના આલિયાબાડાહાપાજામનગર રેલખંડમાં ચાલી રહેલા બમણાંકરણ કાર્ય અંગે અગાઉ બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિના ક્રમમાં કેટલીક ટ્રેનોની અસ્થાયી સંચાલન વ્યવસ્થામાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે.વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગર રહેશે અસ્થાયી શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન; બાકીની તમામ સંચાલન વ્યવસ્થાઓ યથાવત રહેશે
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સંચાલકીય કારણોસર અગાઉ પસંદ કરેલી ટ્રેનોના શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન માટે નિર્ધારિત વાંકાનેરના સ્થાને હવે સુરેન્દ્રનગરને અસ્થાયી શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન નક્કી કરવામાં આવ્યું છે.
ડબલિંગ કાર્ય દરમિયાન ટ્રેન સંચાલન અંગે અગાઉ બહાર પાડવામાં આવેલા અન્ય તમામ નિર્દેશો યથાવત લાગુ રહેશે.
સુધારેલી વ્યવસ્થા નીચે મુજબ રહેશે
સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેશન (વાંકાનેરના સ્થાને)
૧) ગાડી સંખ્યા ૨૨૯૫૯ વડોદરાજામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસને ૧ ઓગસ્ટ ૨૦૨૬ થી ૭ ઓગસ્ટ ૨૦૨૬ સુધીની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
૨) ગાડી સંખ્યા ૨૨૯૨૩ બાંદ્રા ટર્મિનસજામનગર હમસફર એક્સપ્રેસને ૧ ઓગસ્ટ, ૩ ઓગસ્ટ અને ૬ ઓગસ્ટ ૨૦૨૬ ની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેશન (વાંકાનેરના સ્થાને)
૧) ગાડી સંખ્યા ૨૨૯૬૦ જામનગરવડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ૨ ઓગસ્ટ ૨૦૨૬ થી ૮ ઓગસ્ટ ૨૦૨૬ સુધીની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેટ થશે.
૨) ગાડી સંખ્યા ૨૨૯૨૪ જામનગરબાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ૨ ઓગસ્ટ, ૪ ઓગસ્ટ અને ૭ ઓગસ્ટ ૨૦૨૬ ની મુસાફરી માટે વાંકાનેરના સ્થાને સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરિજિનેટ થશે.

