New Delhi તા.27
દિલ્હીના જંતર-મંતર પર કેટલાય દિવસો સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આ જીતની ખુશીમાં સીજેપીના સભ્યોની એક હોટેલમાં પાર્ટીનો વીડિયો વાયરલ થતાં તેની ટિકા થઇ રહી છે.
સંગઠનની કાર્યશૈલી, નેતૃત્વ અને આંદોલનની ફંડીંગને લઇને સોશ્યલ મીડિયામાં અનેક સવાલો ઉઠ્યા છે. વીડિયોને વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે જેથી સીજેપીને લઇને નવી ચર્ચા શરુ થઇ ગઇ છે.
વીડિયોમાં જીતની ખુશીમાં સીજેપીના સભ્યો નાચગાન કરતા જોવા મળે છે, જેને લઇને વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાનીએ સવાલ ઉઠાવ્યા છે કે સીજેપીની યાત્રા, ખોરાક અને રહેવાનો ખર્ચ કોણે ઉટાવ્યો અને આ આંદોલનની ફંડીંગ કોના દ્વારા થઇ.
દરમિયાન ભાજપ નેતા અમિત માલવીયે પણ આ વીડિયો સોશ્યલ મીડિયામાં શેર કરીને લખ્યું કે દરેકને સખત મહેનત બાદ આરામી કરવાનો, ઉજવણી કરવાનો અધિકાર છે, પરંતુ તેના માટે સમય અને જગ્યાનું મહત્વ જગ્યાનું પણ મહત્વ જરુરી છે.
તેમણે લખ્યું કે જ્યારે કોઇ આંદોલનને છાત્રો માટે ન્યાયની લડાઇ તરીકે રજુ કરવામાં આવે છે અને જે છાત્રોની આત્મહત્યાનો ઉલ્લેખ તેમની નૈતિક આધાર શિલા તરીકે કરવામાં આવે છે ત્યારે ઉજવણીનું આ દ્રશ્ય અનેક લોકોને અસંવેદનશીલ લાગે છે.

