ડીઝેનું બોર્ડ પડવાને લઈને વિવાદ ઉગ્ર બન્યો, રેહાન અને સાથીઓ પર તલવારથી હુમલો કરવાનો આક્ષેપ
Vadodara, તા.૨૭
વડોદરાના સંવેદનશીલ ગણાતા ભાંડવાડા-એહમદનગર વિસ્તારમાં ઈદના દિવસે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ડ્ઢત્નનું બોર્ડ નીચે પડવાને લઈને શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન તલવાર જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે બાળક સહિત કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, ઈદના તહેવાર નિમિત્તે વિસ્તારમાં ડ્ઢત્ન વગાડવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ડ્ઢત્નનો વાયર નીચે લબડતો હતો.
આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહનનો વાયર સાથે સંપર્ક થતાં ડ્ઢત્નનું બોર્ડ નીચે પડી ગયું હતું. આ બાબતે રેહાન નામના યુવાને વાહનચાલક પાસે રૂ.૪૦ હજારની માંગણી કરી હોવાનો અને ત્યારબાદ મારામારી શરૂ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઈજાગ્રસ્ત ફિરોઝ મન્સુરીએ આક્ષેપ કર્યો હતો કે, રેહાન અને તેના સાથીદારો તલવાર જેવા હથિયારો લઈને હુમલો કરવા માટે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ડ્ઢત્ન વગાડતી વખતે વાયર ઊંચો રાખવામાં આવે છે, પરંતુ આ વખતે વાયર નીચે હતો. વાહન અડી જતાં માત્ર ડ્ઢત્નનું બોર્ડ તૂટી પડ્યું હતું, છતાં મામલો ઉગ્ર બનાવી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોનો આતંક હોવાના કારણે અગાઉ પણ વિવાદ સર્જાતા રહ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે બાબા ગેંગના નામે ઓળખાતા તત્વોના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે.ઘટનાની જાણ થતાં કુંભારવાડા પોલીસ મથકના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તેમજ હુમલાના આક્ષેપો અંગે સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

