New Delhi,તા.૪
કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે તે સંસદમાં પસાર થયેલા ’વક્ફ (સુધારા) બિલ, ૨૦૨૫’ ની બંધારણીયતાને ખૂબ જ ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં પડકારશે. રાજ્યસભાએ ગુરુવારે ’વકફ (સુધારા) બિલ, ૨૦૨૫’ ને મંજૂરી આપી, જેમાં વકફ બોર્ડમાં પારદર્શિતા વધારવા સહિત અનેક મુખ્ય જોગવાઈઓ શામેલ છે. આ સાથે સંસદમાં બિલ પસાર થયું.
રાજયસભા અને લોકસભાએ આ બિલ પસાર કર્યું છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, ’કોંગ્રેસ ખૂબ જ ટૂંક સમયમાં વક્ફ (સુધારા) બિલની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.’ અમે ભારતના બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો, જોગવાઈઓ અને પરંપરાઓ પર મોદી સરકાર દ્વારા કરવામાં આવતા તમામ હુમલાઓનો વિરોધ કરતા રહીશું.
આ સાથે, કોંગ્રેસના નેતાએ કહ્યું કે કોંગ્રેસે ’નાગરિકતા (સુધારા) અધિનિયમ ૨૦૧૯’ ને પડકાર્યો હતો જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેમણે કહ્યું કે,આરટીઆઇ કાયદા, ૨૦૦૫ માં ૨૦૧૯ ના સુધારાને પણ કોંગ્રેસ દ્વારા પડકારવામાં આવ્યો હતો, જે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
કોંગ્રેસના નેતાએ કહ્યું, ’ચૂંટણી આચાર નિયમો (૨૦૨૪) માં સુધારાની માન્યતાને કોંગ્રેસ દ્વારા પડકારવામાં આવી હતી અને તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.’ જયરામ રમેશે કહ્યું, ’પૂજા સ્થાન અધિનિયમ, ૧૯૯૧ ની મૂળ ભાવના જાળવવા અંગે કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ છે.