Jamnagar તા.1
જામજોધપુર તાલુકાના દલ દેવળીયા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધનું પલંગ પરથી પડી ગયા બાદ માથામાં ઇજાના કારણે મોત નિપજ્યાનું સામે આવ્યું છે. આ મામલે શેઠવડાળા પોલીસે મોતની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દલ દેવળીયા ગામે રામોલીયાફળીમાં રહેતા પરષોતમભાઇ મેઘજીભાઇ રામોલીયા નામના 70 વર્ષીય વૃદ્ધ ઘણા વર્ષથી સુગરની બિમારી સામે લડતા હતા અને બાયપાસ સર્જરી પણ કરાવી હોવાથી અને તેઓ તા. 27 એપ્રિલના રોજ પોતાના ઘરે પલંગ પર સુતા જે એકાએક પલંગ પરથી પડી જતા માથાના ભાગે ઇજા થઈ હતી.
જે મામલે જાણ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ વેળાએ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જે અંગે મૃતકના પુત્ર હિરેનભાઇ રામોલીયાએ શેઠવડાળા પોલીસમાં જાણ કરતા પોલીસે મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

