Rajkot,તા.૨૮
Rajkotના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આગામી ૫ ઓગસ્ટથી રાજકોટમાં જીએસટી ટ્રિબ્યુનલ બેંચનો સત્તાવાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટ્રિબ્યુનલ શરૂ થતાં હવે જીએસટી સંબંધિત વિવાદો અને અપીલો માટે કરદાતાઓને હાઇકોર્ટ સુધી જવાની જરૂરિયાત ઘણી હદ સુધી ઘટશે અને સ્થાનિક સ્તરે જ ન્યાય મેળવવાનો માર્ગ સરળ બનશે… આ અંગે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓમપ્રકાશ તિવારીએ માહિતી આપતા જણાવ્યું છે કે રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા આર.કે. આઇકોનિક ખાતે ય્જી્ ટ્રિબ્યુનલ બેંચ કાર્યરત થશે. અહીં વેપારીઓ અને કરદાતાઓ તેમની ય્જી્ સંબંધિત ફરિયાદો, વિવાદો અને અપીલો રજૂ કરી શકશે, જેના કારણે લાંબા સમયથી અટવાયેલા કેસોના ઝડપી નિકાલની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ જીએસટી ટ્રિબ્યુનલમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૧૧ અરજીઓની નોંધણી થઈ ચૂકી છે. ટ્રિબ્યુનલમાં અપીલ કરવા માટે કરદાતાએ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને ઓનલાઈન જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે. મુખ્યત્વે ય્જી્ એક્ટની કલમ ૭૩, ૭૪, ૧૨૨, ૧૨૯ અને ૧૩૦ હેઠળના વિવાદોને લગતી અપીલો અહીં દાખલ કરી શકાય છે. જો કોઈ ટેક્સ પેયરને લાગે કે તેમની સાથે અન્યાય થયો છે અથવા જીએસટી વિભાગના નિર્ણયથી તેઓ અસંતોષિત છે, તો તેઓ ટ્રિબ્યુનલમાં અરજી કરીને ન્યાય મેળવી શકે છે. અરજી દાખલ કરતી વખતે નિયત ફી પણ ચૂકવવી પડે છે, જે કેસના પ્રકાર અને રકમના આધારે અંદાજે ૫,૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયા સુધી હોઈ શકે છે.
અત્યાર સુધી વેપારીઓને જીએસટી વિભાગના નિર્ણય સામે આગળની કાનૂની કાર્યવાહી માટે હાઇકોર્ટ સુધી પહોંચવું પડતું હતું. તેમાં સમયની સાથે ખર્ચ પણ વધારે થતો હતો. હવે રાજકોટમાં જ ટ્રિબ્યુનલ ઉપલબ્ધ થતાં સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોના વેપારીઓને મોટી રાહત મળશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આ વ્યવસ્થા વધુ લાભદાયી સાબિત થશે. જીએસટીએટી એટલે કે જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલની રચનાનો મુખ્ય હેતુ ય્જી્ સંબંધિત વિવાદોનું ઝડપી અને સચોટ નિવારણ કરવાનો છે. જ્યારે કોઈ કરદાતા અને જીએસટી વિભાગ વચ્ચે ટેક્સ, દંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ અથવા અન્ય કોઈ મુદ્દે મતભેદ ઊભો થાય ત્યારે આ ટ્રિબ્યુનલ એક વિશેષ અપીલ મંચ તરીકે કામ કરશે. તેના કારણે કેસોના નિરાકરણમાં ઝડપ આવશે અને હાઇકોર્ટ પરનો ભાર પણ ઘટશે.
રાજકોટમાં શરૂ થનારી આ ટ્રિબ્યુનલ બેંચ માત્ર રાજકોટ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશના વેપારીઓ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાનિક સ્તરે સુનાવણી મળતાં મુસાફરીનો ખર્ચ ઘટશે, કાનૂની પ્રક્રિયા વધુ સરળ બનશે અને વેપારીઓ પોતાના વ્યવસાય પર વધુ ધ્યાન આપી શકશે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓમપ્રકાશ તિવારીએ વેપારીઓને અપીલ પણ કરી છે કે તેઓ જીએસટી ટ્રિબ્યુનલની આ નવી સુવિધાનો મહત્તમ લાભ લે. તેમણે જણાવ્યું કે ટ્રિબ્યુનલ શરૂ થતાં કરદાતાઓને વધુ સરળ, પારદર્શક અને સુલભ ન્યાય પ્રક્રિયા મળશે. સાથે જ જીએસટી સંબંધિત અપીલો અને ફરિયાદોના ઝડપી નિકાલથી વેપાર જગતમાં વિશ્વાસ પણ વધશે.
રાજકોટમાં ૫ ઓગસ્ટથી શરૂ થનારી જીએસટી ટ્રિબ્યુનલ બેંચને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્તરે અપીલ અને સુનાવણીની સુવિધા ઉપલબ્ધ થતાં કરદાતાઓને સમયસર ન્યાય મળશે, ખર્ચમાં ઘટાડો થશે અને સમગ્ર જીએસટી વિવાદ નિવારણ વ્યવસ્થા વધુ અસરકારક બનશે.

