(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૨
આગામી તા.૨૯ ને બુધવારના રોજ ગુરૂપુર્ણિમા હોય જેને લઈ ન્યારા આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીની તડામાર તૈયારીઓનો પ્રારંભ થઇ જવા પામેલ છે.
આગામી તા. ૨૯ ના રોજ શ્રી ગુરૂપુર્ણીમાના દિવસે સવારે ૬/૧૫ કલાકે મંગળા આરતી, સવારે ૯ કલાકે પાદુકા પુજન, બપોરે ૧૧/૩૦ કલાકે ઉત્સવ આરતી, બપોરે ૧૨ થી ૨/૩૦ વાગ્યા સુધી મહાપ્રસા તથા સંઘ્યા આરતી સાંજે ૭ કલાકે તથા ગુરૂદેવની પાદુકા સ્પર્શ (દર્શન) સવારથી શયન સુધી રહેશે.
તે જ દિવસે સવારના ગાયોને ઘાસચારો તથા સ્વાનને લાડુ આપવામાં આવશે, ન્યારા ગામના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવશે. બહેનો માટે મોળા ફરાળની વ્યવસ્થા જુદી રાખેલ છે. તથા આવનાર દરેક ગુરૂ ભાઈઓ તથા બહેનોને રક્ષાદોરી પ્રસાદી રૂપે દેવામાં આવશે.
આ ગંગા-જમનાસરસ્વતી ત્રિવેણી સંગનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ દેવામાં આવેલ છે, ન્યારા આશ્રમમાં શ્રી સદગુરૂ સ્વામી રણછોડદાસ બાપુ તથા શ્રી સદગુરૂ હરીચરણદાસજી બાપુ તથા શ્રી જયરામજી બાપુના ત્રણે ગુરૂજીના આશીર્વાદ ન્યારા આશ્રમ ઉપર વહે છે. તેનો લાભ લેવા અને શ્રી ગુરૂપુર્ણિમાં ઉત્સવમાં સૌ શિષ્યગણ સાથે મળીને ગુરૂદેવનો મહિમા ગાઈને પુણ્યનું ભાથુ બાંધશું તેમ કાર્યક્રમના આયોજકો દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

