માર્ચ મહિનામાં ભારતનું ડીઝલ નિકાસ ઝડપથી વધ્યું છે, જેનાથી રિફાઇનિંગ કંપનીઓને મોટો ફાયદો થયો છે
New Delhi,તા.૧
પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર ભારતના તેલ વેપાર પર દેખાવા લાગી છે. માર્ચ મહિનામાં, ભારતની ડીઝલ નિકાસમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો હતો. વૈશ્વિક બજારમાં માર્જિન વધતાં રિફાઇનરી કંપનીઓ વધુ નફો મેળવી રહી છે. આ પરિવર્તનના પ્રતિભાવમાં, ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે.
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન સાથે સંબંધિત પરિસ્થિતિની અસર હવે ભારતમાં ઓઇલ બિઝનેસ પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. માર્ચ મહિનામાં ભારતનું ડીઝલ નિકાસ ઝડપથી વધ્યું છે, જેનાથી રિફાઇનિંગ કંપનીઓને મોટો ફાયદો થયો છે. રિપોર્ટ અનુસાર, કાચા તેલ અને તૈયાર ઇંધણના ભાવ વચ્ચે અંતર વધવાથી વિદેશી માર્કેટમાં વેચાણ વધુ લાભદાયક થયું છે.
ડીઝલ એક્સપોર્ટમાં વધારો, ૨૦ ટકાનો થયો વધારો :- રિપોર્ટ અનુસાર, માર્ચમાં ભારતનો ડીઝલ એક્સપોર્ટ લગભગ ૨૦ ટકા વધીને ૧૨.૯ મિલિયન બેરલ સુધી પહોંચી ગયું છે. ફેબ્રુઆરીમાં આ આંકડો ૧૦.૭૪ મિલિયન બેરલ હતો. રસપ્રદ બાબત એ છે કે ડીઝલનું એક્સપોર્ટ વધવાની સાથે કુલ રીફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ ૮ ટકા ઘટ્યું છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે ભારતીય કંપનીઓ હવે વધુ પ્રોફિટ આપનાર પ્રોડક્ટ્સ પર ધ્યાન આપી રહી છે. ડીઝલ અને જેટ ફ્યુલ જેવા મિડલ ડિસ્ટિલેટ્સની ડિમાન્ડ અને ભાવ બંને વધવાથી આ ફેરફાર જોવા મળ્યો છે. પ્રોફિટ વધારવાની સ્ટ્રેટેજીઃ રિફાઇનરીએ બદલી દિશા – એક્સપર્ટ્સ અનુસાર, ઈરાન સાથે સંબંધિત સ્ટ્રેસ અને સપ્લાયમાં અનિશ્ચિતતાના કારણે ગ્લોબલ માર્કેટમાં ડીઝલ અને જેટ ફયુલની ઉણપ અનુભવાઈ રહી છે. જેનાથી આ પ્રોડક્ટ્સના “ક્રેક સ્પ્રેડ” એટલે કે ક્રૂડ ઓઇલ અને તૈયાર ઇંધણના ભાવ વચ્ચે અંતર વધ્યું છે. આ તકનો ફાયદો ઉઠાવતાં ભારતીય રિફાઇનરી કંપનીઓએ પોતાના પ્રોડક્શનમાં ફેરફાર કર્યો છે અને ડીઝલનું ઉત્પાદન વધારી દીધું છે. જેનાથી તેમને ઇન્ટરનેશનલ માર્કેટમાં વધુ ભાવ મળી રહ્યા છે અને નફો પણ વધી રહ્યો છે.
વૈશ્વિક પરિસ્થિતિની અસરઃ આગામી સમયમાં રહી શકે છે આ ટ્રેન્ડ – સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (જીંટ્ઠિૈંર્ ક ર્ૐદ્બિેડ)ની આસપાસ વધતા સ્ટ્રેસના કારણે કાચા તેલની સપ્લાઈ પર અસર થઇ શકે છે, જેનાથી ભાવમાં ઉતાર-ચઢાવ દેખાઈ રહ્યો છે. જોકે તેની અસર બધા જ ઈંધણો પર સમાન રૂપે નથી થઇ. જ્યાં પેટ્રોલના ભાવમાં વધુ ફેરફાર નથી થયો, ત્યાં ડીઝલ અને જેટ ફ્યુલ માર્જિન સતત વધી રહ્યા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો વૈશ્વિક તણાવ આમ જ ચાલુ રહે છે, તો ભારતીય રિફાઇનરીઓ આગામી સમયમાં પણ આ સ્ટ્રેટેજી પર કામ કરતી રહેશે અને ડીઝલ એક્સપોર્ટને પ્રાથમિકતા આપશે. જેનાથી ભારતને ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક મળી શકે છે.

