New Delhi, તા.15
ગ્રાહક પંચે એક મહત્વના ફેસલામાં કહ્યું હતું કે વીમા કંપનીઓ કલેમ આપવા માટે શબ્દોની માયાજાળ ગુંથીને પોતાની જવાબદારીથી બચી નથી શકતી. પંચે પીડિતાના પક્ષમાં ફેસલો આપીને તેને ન્યાય અપાવ્યો હતો.
ખરેખરે તો, પતિના મોત બાદ જેવા વીમા પોલીસીથી રાહતની આશા હતી, તેણે ખરા સમયે જ સાથે છોડી દીધો હતો. આ સ્થિતિમાં વિધવા ગ્રાહકને ન માત્ર પોતાનાને ગુમાવવાનું દુઃખ સહન કરવું પડયું, બલકે તે કરજ અને વીમા કંપનીની ઉદાસીનતા વચ્ચે કાનુની લડાઈમાં ફસાઈ ગઈ. વીમા કંપનીએ પતિના મોતના કારણને ટેકનીકલ જાળમાં ફસાવીને કલેમને ફગાવી દીધો હતો.
પરંતુ આખરે હોસ્પિટલ તરફથી જાહેર મૃત્યુ પ્રમાણપત્રો આખો મામલો પલટાવી નાખ્યો અને લગભગ 6 વર્ષ બાદ પીડિતાને ન્યાય મળ્યો. ઉતર જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે મામલામાં વીમા કંપનીની મનમાની પર સખ્ત વલણ અપનાવ્યુ.
પંચના અધ્યક્ષ દિવ્ય જયોતિ જયપુરિયા, સભ્ય અશ્વિનીકુમાર મહેતા અને હરપ્રીત કૌર ચર્યાની બેન્ચે એચડીએફસી એર્ગો જનરલ ઈુસ્યોરન્સની કંપનીને ફટકાર લગાવતા પીડિતાના પક્ષમાં ફેસલો સંભળાવ્યો હતો. પંચે કંપનીને નિર્દેશ કર્યો કે તે પોલીસી અંતર્ગત ચૂકવવાપાત્ર રકમ વ્યાજ સહિત પીડિતાને આપે અને માનસીક પીડાના વળતર પેટે 1 લાખ રૂપિયા પણ આપે.
પોલીસીમાં કવર હતી બીમારી પણ લાભ નહોતો મળ્યોઃ જયોતિ અને તેના પતિ અતુલ શર્માએ ગુરુગ્રામમાં ફલેટ ખરીદવા માટે વર્ષ 2020માં 19.92 લાખ રૂપિયાની હોમ લોન લીધી હતી. લોનને સુરક્ષિત કરવા માટે હોમ ક્રેડીટ એશ્યોર વીમા પોલીસી લીધી હતી, જેથી અણબનાવની સ્થિતિમાં પરિવાર પર કરજનો બોજ ન પડે.
એપ્રિલ 2021માં પતિ અતુલની તબીયત બગડી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું. હોસ્પિટલે મૃત્યુ પ્રમાણપત્રમાં હાર્ટએટેકને મોતનું કારણ બતાવ્યું હતું. આ બીમારી વીમા પોલીસી અંતર્ગત કવર હતી પણ વીમા કંપનીએ કલેમને એમ કહીને ફગાવી દીધો હતો કે મોત કોરોના નિમોના ઈટસથી થઈ, જે પોલીસીમાં સામેલ નથી.

