હુસામુદ્દીન કપાસી દ્વારા Jasdan,તા.25
રાજ્યમાં કેટલાંક શહેરો ગ્રામ્ય પંથકમાં આભ ફાટ્યું છે ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યદક્ષ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ અભિનંદન પાઠવ્યાં હતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો હર હંમેશા પ્રજા વચ્ચે રહે છે ત્યારે હાલ વરસાદની મૌસમમાં કાર્યદક્ષ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રજાની વ્હારે આવી રાજ્યવ્યાપી કંટોલરૂમનો નંબર 6359701000,6359602000 જાહેર કર્યો જેથી અસરગ્રસ્તને જેનો લાભ મળી શકે આ પગલાં બદલ તેઓ અભિનંદનના હકદાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે
રાજ્યમાં અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા, ગાંધીનગર ખાતે ‘સેવા હી સંગઠન’ના ભાવ સાથે સતત કાર્યરત ૨૪/૭ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિના આ કપરા સમયમાં ભારતીય જનતા પાર્ટી ‘સેવા હી સંગઠન’ના સંકલ્પ સાથે પ્રજાની પડખે અડીખમ ઊભી છે. અસરગ્રસ્ત નાગરિકોને સમયસર રાહત અને સહાય મળી રહે તે માટે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સરકારી તંત્ર સાથે સતત સંકલનમાં રહીને સેવા કાર્યોમાં જોડાયેલા રહેશે.
તમામ જિલ્લા અને મહાનગરોમાં ૨૪/૭ હેલ્પલાઈન શરૂ:રાજ્યના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલા મેઘતાંડવના પગલે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લા તથા મહાનગર ભાજપ કાર્યાલય ખાતે પણ ૨૪/૭ હેલ્પલાઈન અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને ઝડપથી મદદ પહોંચાડી શકાય.

