New Delhi,તા. 22
આયરલેન્ડ અને ઇંગ્લેન્ડનાં નિરાશાજનક પ્રવાસ પછી ટીમ ઇન્ડિયા નવી આશાઓ અને નવા ચહેરાઓ સાથે ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે તૈયાર છે. 23 જુલાઈથી હરારેમાં શરૂ થઈ રહેલી આ સિરીઝમાં ચર્ચાનું કેન્દ્ર ભારતનું ‘નવું ફાસ્ટ બોલિંગ આક્રમણ’ હશે.
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા વરિષ્ઠ બોલરોની ગેરહાજરીમાં પસંદગીકારોએ 150 કિમી/કલાકથી વધુની ઝડપે બોલ ફેંકતાં યુવાનો પર દાવ લગાવ્યો છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ઉતરી રહેલી ભારતીય ટીમ પાસે ઝિમ્બાબ્વેની પિચો પર પોતાની પેસ બેટરીને પરખવાની આ સૌથી યોગ્ય તક હશે.
મયંક યાદવની ઝડપ પર નજર : પીઠના સ્ટ્રેસ ફ્રેક્ચર અને ઇજાઓના લાંબા તબક્કા પછી મયંક યાદવની ટીમમાં વાપસી થઈ છે. સપ્ટેમ્બર 2024 પછી પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમવાની રાહ જોઈ રહેલાં મયંકનો આઈપીએલ 2026માં ફોર્મ ખાસ રહ્યો ન હતો (4 મેચમાં 0 વિકેટ, 11.37 ઇકોનોમી). આ સિરીઝમાં તેમણે પોતાને સાબિત કરવા પડશે.
અશોક શર્મા તૈયાર : અનકેપ્ડ ફાસ્ટ બોલર અશોક શર્માએ આઈપીએલ 2026માં 154.7 કિમી/કલાકની ઝડપ સાથે સીઝનની સૌથી ઝડપી બોલ ફેંકી હતી. તે સતત 150+ ની સ્પીડથી બોલિંગ કરવા માટે સક્ષમ છે અને હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.
યશ ઠાકુરની સ્વિંગ : વિદર્ભને વિજય હઝારે ટ્રોફી જીતાડવામાં 19 વિકેટ લઈને મુખ્ય ભૂમિકા ભજવનારા યશ ઠાકુર પર પણ નજર રહેશે. કર્ણાટક સામે સેમિફાઇનલમાં તેમનો સ્પેલ બહેતરીન હતો અને તે બીસીસીઆઈના ‘ટાર્ગેટેડ પ્લેયર્સ પૂલ’નો હિસ્સો રહ્યાં છે.
આના પણ રહેશે નજર
શ્રેયસ અય્યર : આઈપીએલ 2026ના બીજા હાફ પછીથી કેપ્ટન તરીકે સળંગ 13 મેચોમાં શ્રૈયસને એક જ જીત મળી છે. જોકે, ઇંગ્લેન્ડ સામે તે ભારત તરફથી ટોપ સ્કોરર રહ્યાં હતાં.
વૈભવ સૂર્યવંશી : વૈભવ સૂર્યવંશી એ જ મેદાન પર પાછા ફરી રહ્યાં છે જ્યાં તેમણે અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 175 રન બનાવ્યાં હતાં.
રિંકુ સિંહ : રિંકુએ કેકેઆર કોચ અભિષેક નાયરની મદદથી પોતાનું ‘ટ્રિગર મૂવમેન્ટ’ બદલ્યું છે. નવી તકનીકે તેમને વધુ આઝાદી આપી છે.
અંતરિમ કોચ લક્ષ્મણ સામે આ સવાલો
1. વૈભવ સૂર્યવંશી : 15 વર્ષીય યુવા ખેલાડી શું ત્રણેય ટી-20 મેચોમાં તક આપવામાં આવશે?
2. સેમસનની જગ્યા : સંજુ સેમસનને બહાર/આરામ આપ્યાં પછી પસંદ કરાયેલાં પ્રભસિમરન સિંહને તક મળશે કે પછી ઇશાન કિશન અને અભિષેક શર્માના રહેતાં તે બહાર બેસશે?
3. સ્પિન વિભાગ : આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ માટે નિયમિત ન રમનારા રવિ બિશ્નોઈ ટીમમાં એકમાત્ર રીસ્ટ સ્પિનર છે. શું હારવાની સ્થિતિમાં પણ તેમનાં પર ભરોસો જાળવી રાખવામાં આવશે?
4. ફિનિશરની ભૂમિકા : ટીમમાં ટી-20 ક્રિકેટનાં હિસાબે ફ્લેક્સિબિલિટી જરૂરી છે, પરંતુ કેટલો ફેરફાર યોગ્ય છે? તિલક વર્મા, સૂર્યાંશ શેડગે અને રિંકુ સિંહમાંથી ફિનિશરની અસલી ભૂમિકા કોણ ભજવશે?
5. જો હારી ગયા તો…: જો ભારત શરૂઆતી બેમાંથી એક મેચ હારી જાય તો શું લક્ષ્મણ ફરી અંધાધૂંધ બદલાવ કરશે કે કોમ્બિનેશન જાળવી રાખશે.

