Moscow, તા. 3
શું આપણો સમાજ કે વિજ્ઞાન ક્યારેય એવી સ્થિતિમાં પહોંચી શકશે જ્યાં માણસ અમર બની જાય? જો દુનિયામાંથી તમામ અસાધ્ય અને ઘાતક બીમારીઓને નાબૂદ કરી દેવામાં આવે, તો પણ શું માનવ શરીર અનંતકાળ સુધી જીવંત રહી શકે?
તાજેતરમાં થયેલાં એક વૈજ્ઞાનિક અભ્યાસ અને રશિયાની નવી રિસર્ચે આ સવાલનો અત્યંત રસપ્રદ જવાબ આપ્યો છે. વિજ્ઞાનીઓના મતે માનવ શરીર સંપૂર્ણપણે અમર તો નથી થઈ શકતું, પરંતુ જો દરેક રોગ અને વૃદ્ધાવસ્થાના ઉત્સર્જક પરિબળો દૂર કરવામાં આવે તો માણસનું મહત્તમ આયુષ્ય 146 થી 194 વર્ષ સુધી લંબાવી શકાય છે.
ગણિતીય મોડેલ અને ઉગઅ નું ગણિત
રશિયાનાં મોસ્કો સ્થિત સ્કોલ્કોવો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે, જે પ્રસિદ્ધ ‘એનપીજી એજિંગ’ જર્નલમાં પ્રકાશિત થયું છે.
શોધકર્તાઓએ એક વિશેષ ગણિતીય મોડેલના આધારે સમજવાનો પ્રયાસ કર્યો છે કે જો શરીરને વૃદ્ધ બનાવતાં તમામ જાણીતાં કારણો અને ઘાતક બીમારીઓ દૂર કરી દેવાય, તો માનવ શરીર કેટલો સમય કામ કરી શકે.
આ અભ્યાસ મુજબ માનવ આયુષ્યની સીમા ‘સોમેટિક મ્યુટેશન’ પર આધારિત છે, જે DNA ની અંદર થતી એક કુદરતી પ્રક્રિયા છે. વધતી ઉંમર સાથે ઉગઅ માં સતત ક્ષતિ થાય છે અને શરીર તેને પૂર્ણપણે સાજું કરી શકતું નથી, જેના કારણે કોષો નબળાં પડે છે અને વ્યક્તિ વૃદ્ધ થવા લાગે છે.
રશિયાનો રૂા.2 લાખ કરોડનો વિશેષ પ્રોજેક્ટ
વૃદ્ધાવસ્થા અને અસાધ્ય રોગો સામે લડવા માટે રશિયાની સરકારે ‘ન્યૂ ટેકનોલોજીસ ફોર હેલ્થ પ્રિઝર્વેશન નેશનલ પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. વર્ષ 2024 માં શરૂ કરાયેલા આ ડ્રીમ પ્રોજેક્ટનું કુલ બજેટ 26 બિલિયન ડોલર (આશરે રૂા.2 લાખ કરોડથી વધુ) રાખવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં 1.75 લાખથી વધુ લોકોનાં જીવ બચાવવાનો છે. રશિયાનાં નાયબ વિજ્ઞાન મંત્રીના જણાવ્યાં મુજબ, આ મિશન બુઢાપા સામેની લડાઈમાં એક ક્રાંતિકારી શસ્ત્ર સાબિત થઈ શકે છે.
સંશોધનમાં સામે આવેલી ક્રાંતિકારી ટેકનોલોજીઓ
આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ વૈજ્ઞાનિકો મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ દિશામાં કામ કરી રહ્યાં છે. પ્રથમ, જીન થેરાપી દ્વારા ઉગઅ ના સ્તરે જ કોષોના વૃદ્ધ થવાની પ્રક્રિયાને ધીમી પાડવી. દ્વિતીય, 3ઉ બાયો-પ્રિન્ટિંગ પદ્ધતિથી માનવ કોષો દ્વારા નવા અંગો તૈયાર કરવા, જેમાં ઉંદર પર સફળ પ્રયોગ પણ થઈ ચૂક્યો છે.
તૃતિય, ‘ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન’ હેઠળ ડુક્કરના જીનેટિક એડિટિંગ દ્વારા માનવ શરીર માટે અનુકૂળ અંગો તૈયાર કરવા. ચોથું, ‘ક્રાયોથેરેપી’ જે નીચા તાપમાને શરીરનાં ક્ષતિગ્રસ્ત કોષોને પુનજીવત કરવાનું કામ કરે છે.
પુતિનનો અંગત સ્વાર્થ કે દેશની વસ્તીવિષયક જરૂરિયાત?
નિષ્ણાતોમાં આ સંશોધનને લઈને બે અલગ-અલગ મંતવ્યો પ્રવર્તે છે. એક વર્ગનું માનવું છે કે પુતિન પોતાનાં આયુષ્યને લંબાવવા માટે આ સંશોધનોને પ્રોત્સાહન આપી રહ્યાં છે, જ્યારે બીજો વર્ગ તેને રશિયાની અત્યંત જરૂરી રાષ્ટ્રીય માંગ માને છે.
રશિયામાં હાલમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય ઘટીને માત્ર 68.26 વર્ષ રહી ગયું છે, જે પશ્ચિમી દેશોની સરખામણીએ ખૂબ ઓછું છે. તેથી દેશની વસ્તીમાં ઘટાડો રોકવા અને નાગરિકોનું સરેરાશ આયુષ્ય વધારવા માટે આ ટેકનોલોજી રશિયા માટે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.
વ્લાદિમીર પુતિન, સી જિનપિંગ અને અમરત્વની ચર્ચા
આ વૈજ્ઞાનિક દાવો એવા સમયે સામે આવ્યો છે જ્યારે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતે પણ અમરત્વ અંગે વાત કરી ચૂક્યાં છે. ચીનમાં આયોજિત એક સૈન્ય પરેડ દરમિયાન ચીનનાં રાષ્ટ્રપતિ સી જિનપિંગ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથેની વાતચીતમાં પુતિને કહ્યું હતું કે જો માનવ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તો માણસ ઇચ્છે તેટલું લાંબું આયુષ્ય મેળવી શકે છે.
માઇક્રોફોનમાં અકસ્માતે રેકોર્ડ થયેલી આ વાતચીતમાં અમરત શક્ય હોવાનો ઉલ્લેખ થયો હતો. જિનપિંગે પણ ઉમેર્યું હતું કે આ સદીમાં માણસ 150 વર્ષ સુધી જીવી શકે છે તેવા અનુમાનો છે. આ વાતચીત લીક થયા બાદ ક્રેમલિને સ્વીકાર્યું હતું કે રશિયા આ દિશામાં સક્રિયપણે કામ કરી રહ્યું છે.
મગજ અને હૃદય નક્કી કરે છે આયુષ્યની સીમા
રિસર્ચ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે માનવ શરીરનાં તમામ અંગો એકસરખી ઝડપે વૃદ્ધ થતાં નથી. ઉદાહરણ તરીકે, ત્વચા અને લીવર જેવા અંગોમાં સતત નવાં કોષોનું નિર્માણ થતું રહે છે, જેથી તે લાંબા સમય સુધી કાર્યરત રહે છે. પરંતુ મગજનાં ચેતાકોષો (ન્યૂરોન) અને હૃદયનાં સ્નાયુઓના કોષો (કાર્ડિયોમાયોસાઇટ્સ) પુનઃનિર્માણ પામતાં નથી.
આ જ કારણ છે કે જીવનભર સોમેટિક મ્યુટેશન આ અપરિવર્તનીય કોષોમાં જમા થાય છે, જે આખરે માણસનાં મહત્તમ આયુષ્યની મર્યાદા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે શરીરનો કયો હિસ્સો સૌથી પહેલાં નબળો પડે છે.

