U-૧૧ અને U-૧૬ કેટેગરીના ખેલાડીઓ માટે સ્પર્ધા, વિજેતાઓને રોકડ ઈનામ, શિલ્ડ અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર
Rajkot,તા.૧૧
રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી મનીષભાઈ ભટ્ટ દ્વારા સંયુક્ત યાદીમાં જણાવવામાં આવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળકો અને યુવા ખેલાડીઓમાં ચેસ રમત પ્રત્યે રસ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ‘‘ઓપન રાજકોટ ચેસ ટુર્નામેન્ટ’’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ચેસ ટુર્નામેન્ટનું આયોજન તા.૨૭/૦૯/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૮૦૦ કલાકે ‘‘કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ’’ ખાતે કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ૦૩ થી ૧૧ વર્ષ (-૧૧) તથા ૧૧ થી ૧૬ વર્ષ (-૧૬) કેટેગરીના બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન તા.૧૧/૦૯/૨૦૨૬ થી તા.૧૯/૦૯/૨૦૨૬ દરમિયાન સવારે ૧૦૩૦ કલાકથી સાંજે ૬૦૦ કલાક સુધી નીચે જણાવેલ સ્થળોએ કરી શકાશે. સ્પર્ધાના રજીસ્ટ્રેશન ફોર્મ પણ આ સ્થળોએથી મેળવી શકાશે. રજીસ્ટ્રેશન માટે રૂ.૫૦/- રિફન્ડએબલ ફી રાખવામાં આવેલ છે.
રજીસ્ટ્રેશન માટેના સ્થળો
શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, રેસકોર્ષ સંકુલ, શ્રી સરદાર પટેલ સ્નાનાગાર, કોઠારીયા રોડ, શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષ, મવડી, ગેસફોર્ડ ચેસ ક્લબ, ગેસફોર્ડ ટૉકિઝની સામે
વિજેતાઓ માટે આકર્ષક ઈનામો
સ્પર્ધાની ઞ-૧૧ અને ઞ-૧૬ બંને કેટેગરીમાં પ્રથમ પાંચ ક્રમાંક મેળવનાર ખેલાડીઓને રોકડ ઈનામ તથા શિલ્ડ એનાયત કરવામાં આવશે. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીને પ્રમાણપત્ર આપવામાં આવશે.
પ્રથમ સ્થાન રૂ. ૩,૧૦૦/- તથા શિલ્ડ, દ્વિતીય સ્થાન રૂ. ૨,૫૦૦/- તથા શિલ્ડ, તૃતીય સ્થાન રૂ. ૨,૧૦૦/- તથા શિલ્ડ, ચતુર્થ સ્થાન રૂ. ૧,૫૦૦/- તથા શિલ્ડ, પાંચમું સ્થાન રૂ. ૧,૧૦૦/- તથા શિલ્ડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે સવારના નાસ્તા તથા બપોરના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બાળકો અને યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન મળે તેમજ તેમની બૌદ્ધિક ક્ષમતા અને રમતગમતની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળે તે હેતુથી આ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ચેસપ્રેમી બાળકો અને વાલીઓને વધુમાં વધુ સંખ્યામાં આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી મનીષભાઈ ભટ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

