Surendaranagar,તા.27
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના રતનપર વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ ના ઢાંકણાઓ રીપેરીંગ કરવામાં ન આવતા અકસ્માતો સર્જી રહ્યા છે સુરેન્દ્રનગર રતનપર માળોદ ચોકડી રોડ ઉપર ભૂગર્ભ ગટરોના ઢાંકણાઓ તૂટી ગયેલી હાલતમાં છે જેને લઇને વાહન ચાલકો આ ઢાંકણા ખુલ્લા હોવાના કારણે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કોઈનો જીવ લઈ લે તે પહેલા ભૂગર્ભ ગટરોના ટુટેલા ઢાંકણાઓ રીપેરીંગ કરવાની માંગ
વારંવાર મહાનગરપાલિકામાં કરવામાં આવી છે તે છતાં પણ આ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોઈ મોટી ગંભીર અકસ્માતના સર્જાય અને રમતા રમતા બાળકો પણ ભૂગર્ભ ગટરમાં ન પડે તે માટે સ્થાનિક લોકો દ્વારા ભૂગર્ભ ગટરોમાં લાકડાઓ રાખી અને સાવચેત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ નિદ્રાધીન હોવાનું સામે આવ્યું છે ઓનલાઇન ફરિયાદ લખાવ્યા હોવા છતાં પણ આ કામગીરી નથી થઈ રહી ત્યારે કોઈ લોકોનો જીવ જાય તે પહેલા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

