વડાપ્રધાને એક ઉચ્ચ સ્તરીય બેઠકન કરી : બેઠકમાં રાજનાથ સિંહ, અજિત ડોભાલ, CDS જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા
New Delhi, તા.૧૦
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે ભવિષ્યમાં જ્યારે કોઈ આતંકવાદી ઘટના થાય તો તેને એક્સ ઓફ વોર એટલે કે યુદ્ધ માનવામાં આવશે. તેવામાં આવનાર સમયમાં ભારત પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ કડક રીતે જવાબ આપશે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ૨૬ લોકોના મોત બાદ સરકારે નીતિમાં આ મોટો ફેરફાર કર્યો છે. આ ઘટનાના જવાબમાં ભારતની સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધીકૃત કાશ્મીરના નવ કેમ્પો પર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ઘણા આતંકીઓના મોત થયા હતા. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે. તે વારંવાર ભારતીય સૈન્ય ઠેકાણા અને અન્ય જગ્યા પર મિસાઇલોથી હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ભારતની મજબૂત રક્ષા સિસ્ટમ આ હુમલાને નિષ્ફળ બનાવી રહી છે.
સંરક્ષણ નિષ્ણાતો પણ ભારત સરકારના આ નીતિગત પરિવર્તનની પ્રશંસા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય ભારતની તાકાત અને ઇચ્છાશક્તિ દર્શાવે છે. હવે કોઈપણ દેશ કે આતંકવાદી સંગઠન ભારત પર હુમલો કરતા પહેલા સો વાર વિચારશે. આપણી સેના પાસે ૧૬ લાખ સૈનિકો, આધુનિક શસ્ત્રો અને સેટેલાઇટ સર્વેલન્સ જેવા સંસાધનો છે, જે આપણને કોઈપણ ખતરાનો સામનો કરવા સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ૭, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ, CDS જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ હુમલા અને ગોળીબાર પહેલા કરતા વધુ વધી ગયા છે. ભારતે પાકિસ્તાનના ઘણા લશ્કરી ઠેકાણા ઉડાવી દીધા છે. ભારતે પાકિસ્તાનના હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા છે.પાકિસ્તાન ભારતના ઘણા શહેરોમાં ડ્રોન મોકલી રહ્યું છે. ભારત આ ડ્રોનને હવામાં જ તોડી પાડી રહ્યું છે. આ સાથે, ભારતે ઘણી પાકિસ્તાની મિસાઇલો તોડી પાડી છે. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે હવે ભારત પર એકપણ આતંકી હુમલો થયો તો તેને ભારત યુદ્ધ ગણીને જવાબી કાર્યવાહી કરશે. હવે પાકિસ્તાન દ્વારા જો એકપણ હુમલો કરાયો તે ભારત તેને ACT of War ગણીને કાર્યવાહી કરશે.
ભારત અને પાકિસ્તામ વચ્ચે સરહદ પર સતત તણાવની સ્થિતિ છે. જમ્મુ-શ્રીનગર થી લઈને પઠાણકોટ અને પોખરણ સુધી પાકિસ્તાનના ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ કર્યા છે. શુક્રવાર રાતથી પાકિસ્તાને ભારતના ૨૬ શહેરો પર હુમલા કર્યા. જેને આપણી ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ કરી દીધા છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારતે મોટો નિર્ણય લેતા ૩૨ ઍરપોર્ટ્સને અનિશ્ચિત સમય સુધી બંધ કરી દીધા છે.
‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ ઓપરેશન પછી, પાકિસ્તાને ભારત પર એક પછી એક હુમલા કર્યા છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાને દેશમાં ૨૬ સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે ભારત સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે ભારતે આતંકવાદ સામે કડક વલણ બતાવવાનો નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કાર્યવાહીને ભારત સામે યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે. અને જવાબ પણ એ જ રીતે આપવામાં આવશે. છેલ્લા ૩ દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. પાકિસ્તાન તાબડતોબ ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. ભારત સરકારનું કહેવું છે કે તેમના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબ રૂપે કરવામાં આવી રહી છે.
આ દરમિયાન, ભારત સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે નિર્ણય લીધો છે કે હવે આતંકવાદ વિરુદ્ધ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. ભવિષ્યમાં, કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિને ભારત વિરુદ્ધ યુદ્ધ ગણવામાં આવશે. અને આવી પ્રવૃત્તિનો પણ તે જ રીતે જવાબ આપવામાં આવશે.
આ પહેલા ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન સતત આપણા પર હુમલો કરી રહ્યું છે. ભારત દ્વારા પશ્ચિમ સરહદ પર ડ્રોન, લાંબા અંતરના હથિયારો અને ફાઇટર પ્લેન દ્વારા પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહીને નિષ્ફળ બનાવવામાં આવી છે. ભારતીય સેનાએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં તેના સૈનિકો તૈનાત કરી રહ્યું છે જે પરિસ્થિતિને વધુ તંગ બનાવવાના તેના આક્રમક ઇરાદાને દર્શાવે છે.