Mullanpur,તા.2
મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામેની IPL મેચ દરમિયાન ધીમી ઓવર-રેટ જાળવવા બદલ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પંજાબે ગુજરાતને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. IPL અનુસાર, લીગની આચારસંહિતાના કલમ 2.22 હેઠળ લઘુત્તમ ઓવર-રેટ સંબંધિત આ સિઝનમાં આ તેની ટીમનો પહેલો ગુનો હતો.
તેથી, શ્રેયસ પર આટલો દંડ ફટકારવામાં આવ્યો છે. પંજાબે સતત છઠ્ઠા વર્ષે તેની શરૂઆતની મેચ જીતીને શાનદાર શરૂઆત કરી છે. પંજાબ હવે શુક્રવારે ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.

