રહીશોએ મામલતદારને આવેદન આપી કાયમી ઉકેલની માંગ કરી
(જીજ્ઞેશ પટેલ દ્વારા)
Manavadar
Manavadar શહેરમાં ચોમાસા પૂર્વે પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પાવર હાઉસથી ક્રિષ્ના પાર્ક હોટેલ સુધીના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન છે. ગીરીરાજનગર, અમૃતનગર અને ગોકુલનગરના રહીશો દર વર્ષે જળબંબાકારની સ્થિતિનો સામનો કરે છે.
રહીશોની રજૂઆત મુજબ, ચોમાસામાં આ સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે. યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ઘરોમાં પ્રવેશે છે, જેનાથી ઘરવખરી અને સ્થાનિકોને આર્થિક નુકસાન થાય છે. આ નુકસાન અટકાવવા અને લોકોની સુરક્ષા માટે વરસાદી પાણીના તાત્કાલિક અને કાયમી નિકાલની માંગ કરવામાં આવી છે.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સોસાયટીના રહીશોએ મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે માણાવદરના મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કરીને લેખિત રજૂઆત કરી. રહીશોની રજૂઆત બાદ માણાવદર મામલતદારે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે ખાતરી આપી કે, નાગરિકોને તકલીફ ન પડે તે માટે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની જરૂરી કામગીરી તંત્ર દ્વારા વહેલી તકે હાથ ધરવામાં આવશે.

