સુરક્ષા એજન્સીઓએ અલર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે, દિલ્હીમાં લાલ કિલ્લાની સામે બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર આતંકવાદીઓ રચી રહ્યા છે
New Delhi,તા.૨૧
લાલ કિલ્લો અને દેશના મોટા મંદિરો આતંકવાદીઓના નિશાના પર છે. સુરક્ષા એજન્સીઓએ અલર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે, દિલ્હીમાં લાલ કિલ્લાની સામે બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર આતંકવાદીઓ રચી રહ્યા છે. આ સાથે જ ચાંદની ચોકમાં આવેલા મંદિરને પણ આતંકવાદીઓ નિશાન બનાવી શકે છે.
એજન્સીઓનું કહેવું છે કે લશ્કર-એ-તૈયબા ૈંઈડ્ઢ હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. ખરેખર ૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના ઇસ્લામાબાદની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટનો બદલો લેવા માટે લશ્કર-એ-તૈયબા ભારતમાં મોટા આતંકી હુમલા કરવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં ભારતના મોટા મંદિરો લશ્કર-એ-તૈયબાના નિશાના પર છે.
દિલ્હીમાં થયો હતો આત્મઘાતી હુમલો
લાલ કિલ્લા પાસે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જ એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટકથી ભરેલી એક કારને આત્મઘાતી હુમલાખોરે બ્લાસ્ટ કરી દીધી હતી. આ હુમલામાં ઘણા લોકોના જીવ ગયા હતા. હવે ફરી લાલ કિલ્લાની નજીક બ્લાસ્ટનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દેવામાં આવી છે. લાલ કિલ્લાની નજીક તાજેતરમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ પછી પકડાયેલા આતંકી મોડ્યુલની તપાસમાં સામે આવ્યું છે કે આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ ડૉ. ઉમર-ઉન-નબી બીજા આત્મઘાતી હુમલાખોરની ભરતી કરવાના પ્રયાસમાં હતો.
શ્રીનગર પોલીસ અને રાષ્ટ્રીય અન્વેષણ એજન્સીએ નબી દ્વારા સંચાલિત એક સમાનાંતર આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. નબી તે જ વ્યક્તિ હતો, જે ૧૦ નવેમ્બરે ઐતિહાસિક લાલ કિલ્લાની નજીક વિસ્ફોટકોથી ભરેલી ગાડી ચલાવી રહ્યો હતો. આ બ્લાસ્ટમાં ૧૨થી વધુ લોકોના મોત થયા હતા. પકડાયેલા શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન ડૉક્ટરથી આતંકવાદી બનેલા વ્યક્તિ દ્વારા અપનાવવામાં આવેલી ભરતીની રણનીતિનો ખુલાસો થયો છે. આ જ માહિતીના આધારે દ્ગૈંછએ શોપિયાંના રહેવાસી યાસિર અહમદ ડારની ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની રાજધાનીના બાહ્ય વિસ્તારમાં આવેલી એક શિયા મસ્જિદમાં તાજેતરમાં થયેલા ઘાતક આત્મઘાતી હુમલામાં ૩૧ લોકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એક સંગઠને લીધી છે. પાક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેમણે હુમલાખોર અને તેના સહયોગીઓની ઓળખ કરી લીધી છે અને હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી લીધી છે.
બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયના નિવેદનમાં મસ્જિદ હુમલાની નિંદા કરીને માસૂમ નાગરિકોના મોત પર સંવેદના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સાથે જ પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા કોઈપણ પ્રકારના ભારતીય સંબંધના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા છે.

