Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mangrol Sheel ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ધોરણ ૧૦ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે સુવર્ણ તક

    May 9, 2026

    Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

    May 9, 2026

    Amreli વિકરાળ બનતી ટ્રાફિક સમસ્યા ગમે ત્યાં રેંકડી, કેબિન લગાવો, આડેધડ વાહનપાર્ક કરો કોઈ પુછવાવાળુ નથી

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mangrol Sheel ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ધોરણ ૧૦ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે સુવર્ણ તક
    • Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
    • Amreli વિકરાળ બનતી ટ્રાફિક સમસ્યા ગમે ત્યાં રેંકડી, કેબિન લગાવો, આડેધડ વાહનપાર્ક કરો કોઈ પુછવાવાળુ નથી
    • Amreli નવા બની રહેલા ફાર્મ હાઉસમાં દીપડી ઘૂસી આવતા અફડાતફડી
    • Morbi મહાનગરપાલિકામાં ખોટી હાજરી પૂરી પગાર પડાવતા ૮ શખ્સો સામે ફરિયાદ
    • મજૂર દિવસ નિમિત્તે WRWWO રાજકોટ દ્વારા ૧૭ રેલવે કર્મચારીઓનું સન્માન કરાયું
    • Jamnagar ધ્રોલમાં ઘરેણાની ચોરી કેસમાં મુદામાલ સાથે આરોપીને ઝડપી લેતી જામનગર એલસીબી
    • Jamnagar વીજ ચોરીના કેસમાં આઈસ ફેકટરીના સંચાલક ને રૂ. ૫૭.૭૪ લાખનો દંડ ફટકારતી સ્પે. કોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો પવિત્ર ધામોની સાથે સાથે કાચબાઓના સંરક્ષણ માટે પણ જાણીતો
    લેખ

    સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો પવિત્ર ધામોની સાથે સાથે કાચબાઓના સંરક્ષણ માટે પણ જાણીતો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 23, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સૌરાષ્ટ્રનો દરિયા કિનારો સોમનાથ, દ્વારકા, નાગેશ્વર જેવા પવિત્ર યાત્રાધામોની સાથોસાથ ચોરવાડ, માધવપુર કે શિવરાજપુર જેવા બીચ તેમજ બંદર અને માછીમારી ઉદ્યોગ માટે જાણીતો છે. ઉપરાંત સૌરાષ્ટ્રની દરિયાઈ ધરા પર વન વિભાગ મેરામણના મોતી એવા કાચબાઓનું સંવર્ધન કરે છે. “કાચબીને કાચબો રહેતા જળમાં, એવા લેતા હરીનું નામ” ગુજરાતી ભજનમાં પણ કાચબાઓનો ઉલ્લેખ જોવા મળે છે. દર વર્ષે ૨૩ મે ના રોજ દુનિયાભરમાં “વિશ્વ કાચબા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કાચબાનું સંરક્ષણ કરી વિશ્વના અજન્મા કાચબાઓની યશોદા માતા બનતા ગુજરાત વન વિભાગની ઉમદા ફરજ અને પરિશ્રમ વિશે આપણે જાણીએ.

    સૌરાષ્ટ્રના લગભગ ૧૨૦ કિલોમીટરથી વધુ દરિયાકાંઠા વિસ્તાર જેમાં પોરબંદરનું માધવપુર, દેવભૂમિ દ્વારકા ખાતે ઓખામઢી અને કલ્યાણપુર ખાતે નાવદ્રા સહિત ત્રણ કાચબા ઉછેર કેન્દ્રો કાર્યરત છે. આ ત્રણેય કાચબા ઉછેર કેન્દ્રમાં સૌથી જૂનું પોરબંદરના માધવપુર દરિયાકાંઠાનું કાચબા ઉછેર કેન્દ્ર છે. જે અગાઉ ‘મરીન નેશનલ પાર્ક’ પાસે હતું. હાલ, ત્રણેય કેન્દ્રોને ગુજરાત વન વિભાગ સંભાળી રહ્યું છે.

    સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સૌથી વધુ ગ્રીન અને ઓલીવ રિડલી કાચબા જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા તથા એશિયાના દરિયાઈ દેશોના હજારો કિલોમીટરના અંતરનો દરિયો ખેડી કાચબીઓ હોકાયંત્ર જેવી સૂઝથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માળા કરવા આવે છે. તેઓના મગજ મેગ્નેટિક મિનરલયુક્ત હોવાથી તેઓ પૃથ્વીના ભૂચુંબકીય ક્ષેત્રની તથા ચુંબકીયકોણ પ્રત્યે સંવેદનશીલ બની તેના તરફ ખેંચાઈ છે. આ કારણોસર તેમનામાં ‘હોકાયંત્ર’ જેવી સૂઝ (‘કંપાસ સેન્સ’) હોય છે. જેની મદદથી જે જગ્યાએ કાચબીઓનો જન્મ થયો હોય તે જન્મભૂમિ પર પરત ફરીને માળા બનાવી ઈંડા મુકે છે.

     ગ્રીન અને ઓલીવ રિડલી કાચબીઓ માળા બનાવતા પહેલા સમુદ્રના વિસ્તારનું નિરીક્ષણ કરવાની કામગીરી, તાપમાન અને યોગ્ય સમય જોઇને રાતના અંધારામાં ખાડો ખોદવાનું શરૂ કરે છે. જેમાં તેઓને બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. ત્રણ ફૂટ જેટલો ઊંડો ખાડો કરી ૧૦૦ થી ૧૩૦ જેટલા ઈંડા મુકીને રેતીથી ઢાંકી દઈ પ્રકૃતિના સાનિધ્યમાં મૂકીને દરિયા તરફ પ્રયાણ કરે છે. ત્યારબાદ ગુજરાતનું વન વિભાગ આ કામગીરીમાં સક્રિય બની આ કાચબીઓના ઈંડાનું સંરક્ષણ કરીને સુરક્ષિત સ્થળે(કાચબા ઉછેર કેન્દ્રમાં) મુકવામાં આવે છે. 

    વર્ષ ૧૯૯૯થી ભારત સરકાર દ્વારા યુ.એન.ડી.પી. સી ટર્ટલ પ્રોજેક્ટ અન્વયે કાચબાની લુપ્ત થતી પ્રજાતિને બચવવા પહેલ કરવામાં આવી હતી. જે અન્વયે સરકારી તંત્ર દરિયાઈ કાંઠાના સ્થાનિક લોકોની મદદથી કાચબાઓના સંરક્ષણ માટે કાચબા ઉછેર કેન્દ્ર, જન જાગૃતિ કાર્યક્રમો સહિતની જરૂરી તમામ કામગીરી કરવામાં આવે છે.

    માળાની શોધથી લઈને ઈંડાને સુરક્ષિત સ્થળે મુકવા, તેનું જતન કરવું, બચ્ચાનો જન્મ અને બચ્ચાને દરિયામાં છોડવા સુધીની કામગીરી વન વિભાગ બખૂબીથી નિભાવે છે. વિગતવાર જાણીએ તો, વન કર્મીઓ ચોક્કસ ઋતુ સમયે કાચબીના અવરજવરના નિશાન પરથી કાચબીના માળાની શોધખોળ કરી મળેલ ઈંડાને કાળજીપૂર્વક બહાર કાઢવા અને માળાનું તાપમાન તથા ઊંડાણનું માપન કરીને હેચરી એટલે કાચબા ઉછેર કેન્દ્રમાં લઇ જવામાં આવે છે. હેચરી ખાતે કાચબીઓએ બનાવેલા માળા સમાન કૃત્રિમ માળા તૈયાર કરવામાં આવે છે. જેમાં ઈંડાને કાચબીએ ગોઠવેલી પરિસ્થિતિમાં મુકવામાં આવે છે અને ઇંડાઓની માળાવાર અલગ-અલગ ગણતરી કરી માળા દીઠ અલગ-અલગ પાંજરા મુકવામા આવે છે. જેથી કયા માળામાંથી બચ્ચા આવ્યા છે તેનો ખ્યાલ આવી શકે તથા તેની નોંઘણી થઇ શકે.

    ઉલ્લેખનીય છે કે, એક કાચબી અંદાજે ૧૦૦ થી વધુ ઈંડા મુકે છે. ત્યારબાદ, ઈંડામાંથી ૪૦ થી ૬૦ દિવસમાં બચ્ચા બહાર આવે છે. ઇંડામાંથી કાચબાના બચ્ચા બહાર આવે ત્યારે તેઓને વોકિંગ એક્સરસાઇઝ માટે દરિયાની રેતીના આવરણમાં રાખવામાં આવે છે અને બચ્ચાઓને સિમેન્ટ ટેન્કમાં દરિયાઇ પાણીમાં રાખવામા આવે છે. ત્યારબાદ, આખરે બચ્ચાઓને દરિયામાં છોડવામાં આવે છે. આમ, વન વિભાગ આ બચ્ચાની જાળવણી “યશોદા માતા” સમાન કરી તેઓને સુરક્ષિત રાખે છે. 

    પોરબંદરના માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર ખાતે વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૪ સુધીમાં ચૌદ હજાર બચ્ચાઓનો જન્મ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ખાતે ૭૩૫ માળાઓ બનાવી ૫૮ હજારથી બચ્ચાઓનો જન્મ થયો છે. જયારે કલ્યાણપુર ખાતેના નાવદ્રા ખાતેના છેલ્લા બે વર્ષમાં અંદાજે ૪૦ માળામાંથી ૨૭૦૨ બચ્ચાઓએ જન્મ લીધો છે.

    સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવેલી આ ત્રણેય કાચબા ઉછેર કેન્દ્રમાં ‘’હેચરી’’ ૫ર ઇંડાઓનો ઉછેર કરીને આ પ્રજાતિઓને બચાવવામાં મદદ કરે છે. આ સાથે માછલીઓ પકડવાની જાળમાં ટર્ટલ એક્ષકલુડર ડિવાઈસ જે લોખંડની ગ્રીલ હોય છે, જેમાંથી મોટા જળચર પ્રાણીઓ બહાર નીકળી જાય છે. જેનો ઉપયોગ કાચબા જાળમાંથી છુટી શકે તે માટે કરવામાં આવે છે.

    આ ઉપરાંત તા.૨૩ મે ના રોજ દ્વારકા જિલ્લાના ઓખામઢી અને કલ્યાણપુરના નાવદ્રા કાચબા ઉછેર કેન્દ્ર સ્થાનિક લોકોને બાળકોને અને માછીમારોને કાચબા વિશે તેના મહત્વ અંગેની ચર્ચાઓ, કાચબા બચાવવા માટે TEDનો ઉપયોગ, દરિયાની સ્વચ્છતા અને મેરામણના મોતીનું રક્ષણ કરવા અંગે વધુમાં વધુ લોકોમાં જાગૃતિ આવે તે માટે ગુજરાત વન અને પર્યાવરણ વિભાગ સતત કાર્યરત રહે છે.

      આલેખન: રિધ્ધિ ત્રિવેદી

    Riddhi Trivedi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    લેખ

    8મે વિશ્વ થેલેસેમિયા દિન: થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026
    લેખ

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026
    લેખ

    તંત્રી લેખ… બંગાળના ખોવાયેલા ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો પડકાર

    May 8, 2026
    લેખ

    Shri Somnath Jyotirlingaની ૭૫ વર્ષ પહેલાં ૧૧ મે, ૧૯૫૧ના દિવસે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ હતી

    May 8, 2026
    ધાર્મિક

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mangrol Sheel ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ધોરણ ૧૦ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે સુવર્ણ તક

    May 9, 2026

    Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

    May 9, 2026

    Amreli વિકરાળ બનતી ટ્રાફિક સમસ્યા ગમે ત્યાં રેંકડી, કેબિન લગાવો, આડેધડ વાહનપાર્ક કરો કોઈ પુછવાવાળુ નથી

    May 9, 2026

    Amreli નવા બની રહેલા ફાર્મ હાઉસમાં દીપડી ઘૂસી આવતા અફડાતફડી

    May 9, 2026

    Morbi મહાનગરપાલિકામાં ખોટી હાજરી પૂરી પગાર પડાવતા ૮ શખ્સો સામે ફરિયાદ

    May 9, 2026

    મજૂર દિવસ નિમિત્તે WRWWO રાજકોટ દ્વારા ૧૭ રેલવે કર્મચારીઓનું સન્માન કરાયું

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mangrol Sheel ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ધોરણ ૧૦ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે સુવર્ણ તક

    May 9, 2026

    Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

    May 9, 2026

    Amreli વિકરાળ બનતી ટ્રાફિક સમસ્યા ગમે ત્યાં રેંકડી, કેબિન લગાવો, આડેધડ વાહનપાર્ક કરો કોઈ પુછવાવાળુ નથી

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.