(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૫
હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી ચાલુ વર્ષાએ આ રથયાત્રા દરમિયાન મોરબીના અનેક ભક્તોએ ભગવાનના રથની રસી ખેંચી અને દર્શનનો લ્હાવો લીધો. આ રથયાત્રામા ઇસ્કોન અહમદાવાદ અને ઇસ્કોન ભુજના પ્રેસિડન્ટ શ્રીમાન કલાનાથ ચૈતન્ય પ્રભુજી ભક્તો સાથે ઉપસ્થિત થઇ મહા હરિનામ સંકીર્તન કારવ્યું અને શ્રી જગન્નાથ રથયાત્રાની કથાનું મોરબીવાસીઓને રસપાન કરાવ્યું
રથયાત્રા દરમિયાન ભગવાન શ્રી જગ્ગનાથજીને ૫૬ ભોગ લગાવામાં આવ્યો હતો અને ૫૦૦ ગુંદી પ્રસાદ અને ૨૦૦ શીરો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને છેલ્લે બધા લોકો મહાપ્રસાદનો આનંદ પ્રાપ્ત કર્યો હતો રથયાત્રામાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ જોડાયા હતા.

