Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»અમૃતની શોધનું પરિણામ છે મહાકુંભનું આયોજન
    લેખ

    અમૃતની શોધનું પરિણામ છે મહાકુંભનું આયોજન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 6, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો સંગમ તટ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર છે. ગંગા-યમુનાની સાથે અદ્રશ્ય સરસ્વતીના મિલનનો આ પાવન તટ સદીઓ જૂની તે પરંપરા અને વારસાનો સાક્ષી બનવાનો છે, જેણે ‘સર્વે ભવંતુ સુખિન:’ અને ‘વસુધૈવ કુટુંબકમ’ જેવો મંત્ર આપ્યો છે. સંગમ તટ પર સ્નાનની પરંપરા લગભગ ધાર્મિક આસ્થા અને રિવાજનું અનુપાલન નહીં પરંતુ આ સંયુક્ત થવાની સંસ્કૃતિ છે. પોતાના સમાજ સાથે હળવા-મળવાનું દ્વાર છે. આ તટ તે સ્થળ છે જ્યાં સમગ્ર આવરણ દબર જાય છે અને માત્ર હર હર ગંગે ના સ્વર આકાશમાં ગૂંજે છે. એકતાનો આ સમાગમ સભ્યતાઓનો નિચોડ છે અને માનવતા જે જીવિત રાખનારું અમૃત છે.

    અમૃતની શોધનું પરિણામ છે મહાકુંભનું આયોજન

    મહાકુંભનું આયોજન અમૃતની શોધનું પરિણામ છે. આ માટે સદીઓ પહેલા સમુદ્ર મંથનની શરૂઆત કરવામાં આવી હતી. મંદાર પર્વતનું મંથન બન્યું, વાસુકી નાગની રસ્સી બનાવવામાં આવી અને જ્યારે આ મંદાર પર્વત સમુદ્રમાં સમાવવા લાગ્યો તો તેને સ્થિર કરવા માટે ભગવાન વિષ્ણુએ કુર્મ (કાચબા) નો અવતાર લીધો. તેમણે મંદાર પર્વતને પોતાની પીઠ પર સ્થિર કર્યો અને પછી સમુદ્ર મંથન શરૂ થઈ શક્યું. 

    નાગરાજ વાસુકીનું દોરડું 

    એક તરફ દેવતા વાસુકીને પોતાની તરફ ખેંચી રહ્યા હતા અને બીજી તરફ અસુર. સમુદ્રની વચ્ચે મંદાર પર્વત એક સ્પિન વ્હીલની જેમ ફરતો રહ્યો. આ પ્રક્રિયાને ઘણા દિવસ પસાર થઈ ગયા. મંદાર પર્વત મંથર ગતિથી સમુદ્રમાં ફરતો રહ્યો. દેવતા-અસુર વાસુકી નાગના દોરડાંને પોત-પોતાની તરફ ખેંચતા મંથન માટે મહેનત કરતાં રહ્યાં. હજુ સુધી સમુદ્રના તળિયેથી કંઈ બહાર નીકળ્યું નહોતું. મંથનની પ્રક્રિયા ચાલુ હતી. આ દરમિયાન એક દિવસ સમુદ્રના તળિયેથી તેજ ગંધયુક્ત પ્રવાહ નીકળ્યો. પછી તો સમગ્ર વિશ્વમાં અંધારું છવાઈ ગયુ. દેવતા-અસુર તમામ ઝેરની અસરથી સળગવા લાગ્યા, પૃથ્વી પર ભૂકંપ આવી ગયો અને કુદરતની હવા ઝેરીલી થવા લાગી.

    સૌથી પહેલા નીકળ્યું હળાહળ ઝેર

    આ ઝેરને કોણ સાધે? આનો પ્રભાવ કેવી રીતે ઓછો થાય અને સંસારની રક્ષા કોણ કરે? અમૃતની શોધમાં એકઠા થયેલા તમામ લોકો તેને મેળવવાની પ્રક્રિયાથી નીકળેલા ઝેરને જોઈને ભાગવા લાગ્યા હતા. સમુદ્ર મંથનથી પ્રાપ્ત થયેલું આ પહેલું રત્ન હતું પરંતુ આને મેળવવા માટે કોઈ પણ તૈયાર નહોતું. જોકે અસુરોએ જિદ કરી હતી જે પણ રત્ન સૌથી પહેલા નીકળશે તેની પર પહેલા તેમનો અધિકાર હશે. તેમને લાગતું હતું કે સમુદ્ર મંથન થતાં જ પહેલા અમૃત જ નીકળશે અને તે બાદ મંથનની જરૂર પડશે નહીં. તેથી તેમણે મંથનની હા પાડ્યા પહેલા એ શરત મૂકી હતી કે જે રત્ન નીકળશે તેની પર તેમનો અધિકાર હશે. આ નિયમ હેઠળ વિષ તેમણે ગ્રહણ કરવું જોઈતું હતું પરંતુ તેમણે આવું કરવાથી સ્પષ્ટ ના પાડી દીધી. 

    સાપોએ આપ્યો શિવજીનો સાથ

    દેવતાઓમાં પણ કોઈ તેને પીવા માટે તૈયાર થયું નહીં. ત્યારે મહાદેવ આવ્યા. તેઓ સંસારના યોગીશ્વર છે. દરેક શાપ-તાપ અને અગ્નિનું શમન કરનાર છે. તેમના માટે કોઈ ઝેર કે અમૃત મહત્ત્વ રાખતું નથી. તેઓ આ સૌથી પરે છે. સંસારના કલ્યાણ માટે તેમણે ઝેર પી લીધું અને કંઠમાં ઉપરની તરફ રોકી લીધું. વિષના પ્રભાવથી તેમનો કંઠ વાદળી પડી ગયો અને મહાદેવ નીલકંઠ કહેવાયા જ્યારે તેઓ વિષપાન કરી રહ્યાં હતાં ત્યારે તેના અમુક ટીપાં પૃથ્વી પર જ્યાં પડ્યાં તેને સાપ-વીંછી અને તેવા જ અન્ય જીવોએ પી લીધાં. પુરાણ કથાઓ અનુસાર આ જીવ મહાદેવનું કાર્ય સરળ બનાવવા આવ્યા હતા. તેથી તેમણે પણ તેમના સમાન ઝેર ધારણ કર્યું અને તે દિવસથી ઝેરી થઈ ગયા.

    મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો

    વિષના પ્રભાવને શાંત કરવા માટે અને મહાદેવને શીતળ કરવા માટે ઘણી વખત તેમનો જળથી અભિષેક કરવામાં આવ્યો. ઘડા ભરી-ભરીને તેમને સ્નાન કરાવવામાં આવ્યુ. કહેવાય છે કે ત્યારથી શિવજીના જળાભિષેકની પરંપરા ચાલતી આવી છે. તેમને દરેક શીતળ ઔષધિઓ આપવામાં આવી. ભાંગ, જેની તાસિર ઠંડી હોય છે અને જે પ્રબળ બેભાન કરનારું પણ છે. તે પીવડાવવામાં આવ્યું. ધતૂરો, આકડો વગેરેનો લેપ કરવામાં આવ્યો. દૂધ, દહીં, ઘી તમામ પદાર્થ તેમની પર લગાવવામાં આવ્યા. આ રીતે મહાદેવ વિષના પ્રભાવને રોકી શક્યા અને સંસારને નષ્ટ થવાથી બચાવી લીધું. હવે સાગર તટ પર એક જ અવાજ ગૂંજી રહ્યો હતો. હર-હર મહાદેવ, જય શિવ શંકર.

    સમુદ્ર મંથનથી પ્રાપ્ત થયા આ 14 રત્ન

    સમુદ્ર મંથનથી 14 રત્ન પ્રાપ્ત થયા, તેના સંબંધિત એક શ્લોક છે.

    હલાહલં ચ મહામેઘં ચન્દ્રમાંસુર્યચં રણે,

    ઉચ્છૈશ્રવસમાણોયમાદિત્યં ચ વરુણં તથા.

    પદ્મં ચ કાંચન ચ ય ચ મણિ કાલકલંકિતં.

    સિદ્ધિં લક્ષ્મીમુપાગતં ચ કુમકુમં ચ રત્નત:

    એરાવતં ચ રત્નં ચ કાંચનં સ્વર્ણં ચ તત્ર,

    તત્રૈવ અમૃતં ચ પ્રાપ્તં સર્વસત્ત્વં શમં યથા.

    કાલકૂટ વિષ, ચંદ્રમા, હાથી અને ઘોડા

    આ શ્લોક અનુસાર સમુદ્ર મંથનથી સૌથી પહેલા હળાહળ કે કાલકૂટ ઝેર નીકળ્યું. પછી સૂર્ય અને ચંદ્ર નક્ષત્ર બંને એક સાથે નીકળ્યા. ઉચ્ચૈશ્રવા નામનું સફેદ ઝડપી દોડનાર ઘોડો પણ પ્રાપ્ત થયો. આ મંથનથી પદ્મ એટલે કે દિવ્ય કમળ, પછી સુવર્ણ અને કૌસ્તુભ મણિ પ્રાપ્ત થઈ પછી વારુણિ નામની મદિરા, તે બાદ લક્ષ્મીની સાથે સિદ્ધિ અને તેની સાથે સૌભાગ્ય સૂચક કંકુ પણ મંથનથી બહાર નીકળ્યું. દિવ્ય સફેદ હાથી, જેના ચાર દાંત હતા અને પીઠ પર સોનાની અંબાડી શોભાયમાન હતી એવી હાથી પણ પ્રગટ થયા. સૌથી અંતિમમાં ધન્વન્તરિ દેવ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. 

    પારિજાત પુષ્પ, રંભા અપ્સરા

    જોકે મંથનમાં અન્ય રત્ન પણ પ્રાપ્ત થયા. જેમાં કહેવામાં આવે છે કે કલ્પવૃક્ષ નામનું એવું વૃક્ષ પણ સમુદ્ર મંથનથી નીકળ્યું, જે દરેક કલ્પનાને સાકાર કરી દેતું હતું. આ મંથનથી પારિજાત નામના પુષ્પનું વૃક્ષ પણ પ્રાપ્ત થયું. દેવી લક્ષ્મીથી ઠીક પહેલા તેમની મોટી બહેન અલક્ષ્મી પણ મંથનથી નીકળી, જે દેવી લક્ષ્મીના વિરુદ્ધ દરિદ્રતાની દેવી છે. આ મંથનથી રંભા નામની એક અપ્સરા પણ નીકળી, જેને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને આ ઈન્દ્રની સભામાં સૌથી સુંદર અપ્સરા હતી. તે ભવિષ્યમાં ઘણી પૌરાણિક કથાઓમાં મેનકા અને ઉર્વશીની જેમ મુખ્ય પાત્ર તરીકે નાયિકા બનીને ઉભરે છે. 

    આ સિવાય સમુદ્ર મંથનથી શું-શું મળ્યુ, તેને લઈને એક પ્રચલિત છંદ પણ છે.

    શ્રી રંભા વિષ વારુણી, અમિય શંખ ગજરાજ,

    ધન્વન્તરિ, ધન, ધેનુ, મણિ, ચંદ્રમા, વાજિ

    જેમાં શ્રી એટલે કે લક્ષ્મી, રંભા એટલે કે અપ્સરા, હળાહળ ઝેર, વારુણી મદિરા, અમિય એટલે કે અમૃત, શંખ (પાંચજન્ય), ગજરાજ (એરાવત), ધન્વન્તરિ (આયુર્વેદના જનક), ધન (વિષ્ણુનો સારંગ ધનુષ) ધેનુ (કામધેનુ ગાય), મણિ (કૌસ્તુભ મણિ), ચંદ્ર, વાજિ એટલે કે ઘોડા (ઉચ્ચૈશ્રવા) પ્રાપ્ત થયા હતા.

    Mahakumbh Mela 2025
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    03 મે, વિશ્વ હાસ્ય દિવસ

    May 2, 2026
    લેખ

    3 મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

    May 2, 2026
    લેખ

    અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણ-શું ડિજિટલ યુગમાં દ્વેષપૂર્ણ ભાષણ રમખાણો

    May 2, 2026
    લેખ

    તંત્રી લેખ…વધતી ગરમી આજીવિકા સંકટને વધુ વધારશે

    May 2, 2026
    ધાર્મિક

    ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.

    May 1, 2026
    ધાર્મિક

    પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.