Surendranagar તા.1
સુરેન્દ્રનગર શહેરમાં હાલમાં સામાન્ય બાબતોને લઈ અને આત્મહત્યાના બનાવો દિન પથરી દિન વધી રહ્યા છે અને સુરેન્દ્રનગર શહેરમાં લોકો પારિવારિક થી લઈ અને પોતાના જીવન સંસાર અને મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા હોવાના કારણે અનેક આત્મહત્યાના બનાવો સુરેન્દ્રનગર શહેરમાં બનતા રહે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વધુ એક અગમ્ય કારણો વસાત આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે.
ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે વઢવાણ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ પર શાક માર્કેટ નજીક 55 વર્ષીય જગુભાઈ ગોકળભાઈ આલ નામના વ્યક્તિએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ ઘટના વહેલી સવારે બની હતી. મૃતક ચાની કીટલી ચલાવતા હતા.
આપઘાતની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.રબારી સમાજના જગુભાઈ આલના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આ આધેડે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. મૃતક 80 ફૂટ રોડ પર આવેલા ગોકુલનગર, રબારીનેસમાં રહેતા હતા.

