Morbi,તા.૨૩
મોરબીમાં રહેતા મુસ્લિમ યુવાનને પત્ની સાથે બોલાચાલી થયા બાદ મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જયારે માળિયા તાલુકામાં બે સ્થળે તળાવમાં ડૂબી જતા બે વ્યક્તિના મોત થયા છે જે તમામ બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ સો ઓરડી ભુવનેશ્વરીપાર્ક મોરબી ૨ ખાતે રહેતા ફિરોજભાઈ ઈસાભાઈ બાબરિયા (ઉ.વ.૩૪) નામના યુવાને પોતાના ઘરે છતના પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવની જાણ થતા સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ફિરોજભાઈ બાબરિયાને પત્ની સાથે બોલાચાલી થતા મનોમન લાગી આવતા આપઘાત કરી લીધો હતો બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
બીજા બનાવમાં મોટા ભેલા ગામના રહેવાસી પીયુષ નાથાભાઈ ખાંભલીયા (ઉ.વ.૧૭) નામનો સગીર ગામમાં આવેલ તળાવમાં ન્હાવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે જયારે ત્રીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ માળિયાના જસાપર ગામે રહેતા વિષ્ણુ રવિન્દ્રભાઈ ભીલ (ઉ.વ.૧૮) નામનો યુવાન ગામમાં આવેલ તળાવમાં ન્હાવા ગયો હતો અને કોઈ કારણોસર તળાવના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે