Jamnagar તા. 24
જામનગર શહેરના જોગર્સ પાકે વિસ્તારમાં આવેલ યશ બેંકના મેનેજર સાથે લોન ભરપાઈ કર્યા વગર એન.ઓ.સી. કાઢી આપવા બાબતે માતા-પૂત્રે હંગામો મચાલી સિકયુરિટી ગાર્ડને માર માર્યા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. વિરલ બાગ નજીક રહેતા અને યશ બેંકમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા જયેશભાઈ ભરતભાઈ જોષીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ ગઈકાલે બેંકમાં કામ કરી રહ્યા હતા ત્યારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં રૂતિક સામતભાઈ પરમાર અને ગીતાબેન સામતભાઈ પરમાર તેમની પાસે આવી સમતભાઈ પરમારે લીધેલ લોન કલોજની એન.ઓ.સી. જોઈએ છે ેવી વાત કરતાં જયેશભાઈએ કીધું કે પહેલા તમારી લોન પૂરી કરી દયો પછી તમને એન.ઓ.સી. આપી દઈશું તેમ કહેતા ઉશ્કેરાયેલા માતા-પૂત્રે અમારે બાકી રહેલ લોનના પૈસા ભરવાના થતાં નથી તેમ કહી હંગામો ચાવતા સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહાઅવીરસિંહ ઝ્લા આવી માતા-પૂત્રને સમજાવવાની કોશિષ કરેલ દરમિયાન રૂતિક પરમારે તેમની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી હું તમને બારે જોઈ લઈશ તેવી થમકી આપતાં મહાવીરસિંહે કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માતા-પૂત્રીની અટકાયત કરી હતી